Tuesday, January 13, 2026

અમદાવાદનો કુશ પટેલ લંડનમાં ખોવાયો, ચાર દિવસથી ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળ માટે પ્રયાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે 10 ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. 10 ઓગસ્ટ પહેલા પરિવારનો 24 કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ કરતા યુવાન કુશની શોધખોળ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર વર્ષ 2022માં લંડન ગયો હતો. જોકે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા પછી જ તેને કોલેજે નોટિસ આપી જતા રહેવા કહ્યું હતું. કોલેજમાં અટેન્ડન્સના અભાવને પગલે તેને ફીને લઈને નોટિસ મળી હોવાનું કહેવાય છે. આ મામલામાં પરિવારે કોલેજની ફીની પ્રક્રિયા પુરી કરી દીધી હતી જે પછી તેને કાયદા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જોકે એજન્ટ દ્વારા પ્રોસેસ ના થઈ શકતા પરિવારે જે લોન લઈને નાણાંની વ્યવસ્થા કરી હતી તે નાણાં કુશને પરત કરી દેવાયા હતા.

જોકે તે અરસામાં બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની શંકા ઊભી થઈ છે. આ જેને પગલે હવે લંડન પોલીસ તપાસ કરી રહી છે. કુશ પટેલના ગુમ થયા બાદ તેને શોધવા માટે ચિંતાતૂર પરિવાર આકાશ પાતાળ એક કરવા સમાન પ્રયાસ કરી રહ્યા છે. તેમજ પરિવારે ગુજરાત સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરી છે, જેથી કુશ પટેલ જલ્દી મળી આવે. પરિવારમાં કુશ અને તેના માતા અને પિતા અને દાદી છે, આમ પરિવારમાં એક જ દીકરો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...