Wednesday, March 4, 2026

અમદાવાદીઓ માટે ખુશ ખબર, AMTS ભાડે લેનારા માટે ભાડામાં ધરખમ ડિસ્કાઉન્ટનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની સિટી બસ એટલે કે AMTSના સ્પેશિયલ વર્ધીના (AMTS Rent price) ભાડામાં 25 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS કમિટી દ્વારા 12 કલાકથી વધુ સમય માટે ભાડે AMTS બસ લેનારાઓ માટે 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMTS બસની સ્પેશિયલ વર્ધીના બસના ભાડાનો મુદ્દો સોમવારે મળેલી કમિટીની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં વધુ સમય માટે AMTS બસ ભાડે લેતા લોકોને ભાડામાં રાહત આપવાનો નિર્ણય કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જે લોકો 12 કલાક માટે બસ ભાડે લે તેમને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કમિટીની બેઠકમાં નક્કી કરાયું હતું. હાલના દર પ્રમાણે 12 કલાક બસ ભાડે માટે રૂ. 12 હજાર ભાડું ચૂકવવાનું હોય છે. પરંતુ કમિટીમાં નક્કી થયા મુજબ 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.

તમને જણાવી દઈએ કે AMTS દ્વારા જાહેર પરિવહન માટે શહેરમાં AMTS બસ ચલાવવામાં આવે છે. હાલમાં શહેરમાં રોજની સરેરાશ 700 જેટલી બસો રસ્તા પર દોડતી હોય છે, જેમાં રોજના 4 લાખ કરતા પણ વધુ મુસાફરો તેનો લાભ લે છે. રોજિંદા મુસાફરો ઉપરાંત ખાસ પ્રસંગો માટે પણ અમદાવાદના નાગિરકોને AMTSનો લાભ મેળવી શકે તે માટે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સ્પેશિયલ વર્ધીમાં પણ બસો આપવામાં આવતી હોય છે. નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...