Sunday, January 25, 2026

અમદાવાદીઓ માટે ખુશ ખબર, AMTS ભાડે લેનારા માટે ભાડામાં ધરખમ ડિસ્કાઉન્ટનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની સિટી બસ એટલે કે AMTSના સ્પેશિયલ વર્ધીના (AMTS Rent price) ભાડામાં 25 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS કમિટી દ્વારા 12 કલાકથી વધુ સમય માટે ભાડે AMTS બસ લેનારાઓ માટે 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMTS બસની સ્પેશિયલ વર્ધીના બસના ભાડાનો મુદ્દો સોમવારે મળેલી કમિટીની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં વધુ સમય માટે AMTS બસ ભાડે લેતા લોકોને ભાડામાં રાહત આપવાનો નિર્ણય કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જે લોકો 12 કલાક માટે બસ ભાડે લે તેમને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કમિટીની બેઠકમાં નક્કી કરાયું હતું. હાલના દર પ્રમાણે 12 કલાક બસ ભાડે માટે રૂ. 12 હજાર ભાડું ચૂકવવાનું હોય છે. પરંતુ કમિટીમાં નક્કી થયા મુજબ 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.

તમને જણાવી દઈએ કે AMTS દ્વારા જાહેર પરિવહન માટે શહેરમાં AMTS બસ ચલાવવામાં આવે છે. હાલમાં શહેરમાં રોજની સરેરાશ 700 જેટલી બસો રસ્તા પર દોડતી હોય છે, જેમાં રોજના 4 લાખ કરતા પણ વધુ મુસાફરો તેનો લાભ લે છે. રોજિંદા મુસાફરો ઉપરાંત ખાસ પ્રસંગો માટે પણ અમદાવાદના નાગિરકોને AMTSનો લાભ મેળવી શકે તે માટે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સ્પેશિયલ વર્ધીમાં પણ બસો આપવામાં આવતી હોય છે. નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...