Sunday, August 2, 2026

શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓનું સ્પેશિયાલિસ્ટ છે વર્ષો જૂનું ચામુંડા ફરસાણ સેન્ટર

spot_img
Share

અમદાવાદ: અધિક માસ બાદ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયેલ છે ત્યારે શહેરના રહેવાસીઓને અવનવી વસ્તુ આરોગવાનો શોખ હોય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ઉપવાસીઓ વિવિધ ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. અમદાવાદના નવા વાડજ ખાતે ફરાળી વાનગીઓ ખરીદવા માટે શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર આવેલ છે. અહીં દર વર્ષની જેમ પોષાય તેવા ભાવે વિવિધ ફરાળી વાનગીઓ મળી રહે છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર વર્ષોથી વિવિધ ફરસાણની વિવિધ આઇટમ માટે જાણીતું છે. પંકજભાઈ નાગર અને આશિષભાઇ નાગર હાલ આ ફરસાણ સેન્ટરનું સંચાલન કરે છે. પંકજભાઈના જણાવ્યા મુજબ, ગરમાગરમ નાસ્તા માટે તેઓ જાણીતા છે ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓમાં ફરાળી બાફવડા, ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી અને કેટલીક જૂની ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે. જે ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં ઉપલબ્ધ છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ફરાળી વાનગીઓના સ્પેશિયાલિસ્ટ છે. તેમની ફરાળી વાનગીઓમાં ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી વગેરે વાનગીઓ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં જોવા મળે છે, અહીંનો ફરાળી ચેવડો, મસાલેદાર ચેવડો, સ્વીટ ચેવડો, લીલો ચેવડો ખૂબ વખણાય છે. રોજની 30થી 40 કિલો ફરાળી વાનગીઓનું વેચાણ અહીં કરવામાં આવે છે. અહીં 10થી 15 વાનગીઓ સરળતાથી મળી રહે છે. બારેમાસ સાચવીને રાખી શકાય તેવી 2થી 3 વાનગીઓ પણ અહીં મળી રહે છે.

આશિષભાઇના જણાવ્યા મુજબ શ્રાવણ માસ દરમિયાન સવારના 7 વાગ્યાથી શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ખાતે ફરાળી વાનગીઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે. ઉપવાસ માટેની દરેક વસ્તુઓ અહીં ફરાળી લોટનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. ફરાળી ઢોકળાં ખાસ કરીને મોરૈયામાંથી બનાવવામાં આવે છે. ફરાળી બફવડાની બનાવટ માટે પણ ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે છે. 100 ગ્રામના હિસાબે પણ અહીં ફરાળી વાનગીઓની ડિશ મળી રહે છે. યુનિક ટેસ્ટના કારણે આ ફરસાણ સેન્ટર ખાતે દૂર દૂરથી લોકો આવે છે.

આ ઉપરાંત બારેમાસ ગરમાગરમ નાસ્તાના શોખીનો માટે મેથીના ગોટા આ ફરસાણ સેન્ટરની સ્પેશયલ આઈટમ છે, આ ઉપરાંત ગરમાગરમ ખમણ, કચોરી, સમોસા સહિતના તમામ ફરસાણ અને નમકીન પણ ઉપલબ્ધ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...