Friday, March 13, 2026

શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓનું સ્પેશિયાલિસ્ટ છે વર્ષો જૂનું ચામુંડા ફરસાણ સેન્ટર

spot_img
Share

અમદાવાદ: અધિક માસ બાદ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયેલ છે ત્યારે શહેરના રહેવાસીઓને અવનવી વસ્તુ આરોગવાનો શોખ હોય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ઉપવાસીઓ વિવિધ ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. અમદાવાદના નવા વાડજ ખાતે ફરાળી વાનગીઓ ખરીદવા માટે શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર આવેલ છે. અહીં દર વર્ષની જેમ પોષાય તેવા ભાવે વિવિધ ફરાળી વાનગીઓ મળી રહે છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર વર્ષોથી વિવિધ ફરસાણની વિવિધ આઇટમ માટે જાણીતું છે. પંકજભાઈ નાગર અને આશિષભાઇ નાગર હાલ આ ફરસાણ સેન્ટરનું સંચાલન કરે છે. પંકજભાઈના જણાવ્યા મુજબ, ગરમાગરમ નાસ્તા માટે તેઓ જાણીતા છે ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓમાં ફરાળી બાફવડા, ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી અને કેટલીક જૂની ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે. જે ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં ઉપલબ્ધ છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ફરાળી વાનગીઓના સ્પેશિયાલિસ્ટ છે. તેમની ફરાળી વાનગીઓમાં ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી વગેરે વાનગીઓ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં જોવા મળે છે, અહીંનો ફરાળી ચેવડો, મસાલેદાર ચેવડો, સ્વીટ ચેવડો, લીલો ચેવડો ખૂબ વખણાય છે. રોજની 30થી 40 કિલો ફરાળી વાનગીઓનું વેચાણ અહીં કરવામાં આવે છે. અહીં 10થી 15 વાનગીઓ સરળતાથી મળી રહે છે. બારેમાસ સાચવીને રાખી શકાય તેવી 2થી 3 વાનગીઓ પણ અહીં મળી રહે છે.

આશિષભાઇના જણાવ્યા મુજબ શ્રાવણ માસ દરમિયાન સવારના 7 વાગ્યાથી શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ખાતે ફરાળી વાનગીઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે. ઉપવાસ માટેની દરેક વસ્તુઓ અહીં ફરાળી લોટનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. ફરાળી ઢોકળાં ખાસ કરીને મોરૈયામાંથી બનાવવામાં આવે છે. ફરાળી બફવડાની બનાવટ માટે પણ ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે છે. 100 ગ્રામના હિસાબે પણ અહીં ફરાળી વાનગીઓની ડિશ મળી રહે છે. યુનિક ટેસ્ટના કારણે આ ફરસાણ સેન્ટર ખાતે દૂર દૂરથી લોકો આવે છે.

આ ઉપરાંત બારેમાસ ગરમાગરમ નાસ્તાના શોખીનો માટે મેથીના ગોટા આ ફરસાણ સેન્ટરની સ્પેશયલ આઈટમ છે, આ ઉપરાંત ગરમાગરમ ખમણ, કચોરી, સમોસા સહિતના તમામ ફરસાણ અને નમકીન પણ ઉપલબ્ધ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...