Tuesday, January 20, 2026

શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓનું સ્પેશિયાલિસ્ટ છે વર્ષો જૂનું ચામુંડા ફરસાણ સેન્ટર

spot_img
Share

અમદાવાદ: અધિક માસ બાદ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયેલ છે ત્યારે શહેરના રહેવાસીઓને અવનવી વસ્તુ આરોગવાનો શોખ હોય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ઉપવાસીઓ વિવિધ ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. અમદાવાદના નવા વાડજ ખાતે ફરાળી વાનગીઓ ખરીદવા માટે શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર આવેલ છે. અહીં દર વર્ષની જેમ પોષાય તેવા ભાવે વિવિધ ફરાળી વાનગીઓ મળી રહે છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર વર્ષોથી વિવિધ ફરસાણની વિવિધ આઇટમ માટે જાણીતું છે. પંકજભાઈ નાગર અને આશિષભાઇ નાગર હાલ આ ફરસાણ સેન્ટરનું સંચાલન કરે છે. પંકજભાઈના જણાવ્યા મુજબ, ગરમાગરમ નાસ્તા માટે તેઓ જાણીતા છે ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓમાં ફરાળી બાફવડા, ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી અને કેટલીક જૂની ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે. જે ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં ઉપલબ્ધ છે.

શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ફરાળી વાનગીઓના સ્પેશિયાલિસ્ટ છે. તેમની ફરાળી વાનગીઓમાં ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી વગેરે વાનગીઓ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં જોવા મળે છે, અહીંનો ફરાળી ચેવડો, મસાલેદાર ચેવડો, સ્વીટ ચેવડો, લીલો ચેવડો ખૂબ વખણાય છે. રોજની 30થી 40 કિલો ફરાળી વાનગીઓનું વેચાણ અહીં કરવામાં આવે છે. અહીં 10થી 15 વાનગીઓ સરળતાથી મળી રહે છે. બારેમાસ સાચવીને રાખી શકાય તેવી 2થી 3 વાનગીઓ પણ અહીં મળી રહે છે.

આશિષભાઇના જણાવ્યા મુજબ શ્રાવણ માસ દરમિયાન સવારના 7 વાગ્યાથી શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ખાતે ફરાળી વાનગીઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે. ઉપવાસ માટેની દરેક વસ્તુઓ અહીં ફરાળી લોટનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. ફરાળી ઢોકળાં ખાસ કરીને મોરૈયામાંથી બનાવવામાં આવે છે. ફરાળી બફવડાની બનાવટ માટે પણ ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે છે. 100 ગ્રામના હિસાબે પણ અહીં ફરાળી વાનગીઓની ડિશ મળી રહે છે. યુનિક ટેસ્ટના કારણે આ ફરસાણ સેન્ટર ખાતે દૂર દૂરથી લોકો આવે છે.

આ ઉપરાંત બારેમાસ ગરમાગરમ નાસ્તાના શોખીનો માટે મેથીના ગોટા આ ફરસાણ સેન્ટરની સ્પેશયલ આઈટમ છે, આ ઉપરાંત ગરમાગરમ ખમણ, કચોરી, સમોસા સહિતના તમામ ફરસાણ અને નમકીન પણ ઉપલબ્ધ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...