Thursday, January 15, 2026

ગાંધીનગરમાં પોલીસ નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, કારચાલકે મહિલાને લીધી અડફેટે

spot_img
Share

ગાંધીનગર : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મળતા અહેવાલો અનુસાર, સેક્ટર-6 વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી પોલીસ નેમ પ્લેટવાળી કારે અકસ્માત સર્જેયો હતો અને એક મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે લોકોનું ટોળુ ઘટનાસ્થળે એકત્ર થઇ ગયું છે.

મળતા અહેવાલો અનુસાર, ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં ઘ રોડ પર તાર ફેન્સીંગ તોડીને પોલીસ નેમ પ્લેટવાળી કાર ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી. કારચાલકે એક મહિલાને ટક્કર મારી હતી. કાર ચાલકનું નામ દિલેર પરમાર છે. તેમજ આ કાર અમદાવાદ હાઇકોર્ટ ખાતે SRP ગ્રુપમાં ફરજ બજાવતા તેના સગાની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાની નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સર્જનાર યુવક નશામાં ધૂત હતો અને તેની પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ દારૂ અને અકસ્માત સર્જનાર યુવકને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...