Wednesday, March 4, 2026

અમદાવાદીઓ સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી જીવાત નીકળી, જોઇને ચડશે ચીતરી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અહીં સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાવાદી યુવાનો તો આ કાફેમાં જઇ પિઝા આરોગતા હોય છે. ત્યારે અમદાવાદના જાણીતા ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નિકળી છે. આ સાથે જ બોપલના પાપા લુઈસ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વાનગી બનાવવામાં સડેલાં બટાકાનો ઉપયોગ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના બોપલ વિસ્તાર નજીક આવેલા વકીલ સાહેબ બ્રિજ નજીક પાપા લુઇસ નામના પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો દાવો કરાયો છે. આજે એક ગ્રાહકે અમદાવાદના પાપા લુઇસ પિત્ઝા સેન્ટરમાં જીવાત નિકળવાનો દાવો કરતા વીડિયો વાયરલ કર્યો છે. આ ફરિયાદીએ પાપા લુઇસ પિઝા સેન્ટર દ્વારા આપવામાં આવેલ બીલની કોપી પણ આ વીડિયોમાં શેર કરી છે. જેમા કસ્ટમરને પાણીની બોટલનું બીલ પણ આપવામાં આવ્યું છે.ત્યાં જ પાપા લુઇસના સેન્ટરમાં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ ફરિયાદીને પિઝાના સ્થાને પાણીની બોટલનું બિલ અપાયું હોવાનો પણ દાવો કરાયો છે.

મહત્વનું છે કે શહેરના અમુક જાણીતા કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાદનું વધુ એક પિઝા સેન્ટર વિવાદમાં સપડાયું છે. આ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં પિઝા બનાવવામાં આવી રહ્યા હતા ત્યાં ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા હતા જે બાદ આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...