Saturday, April 25, 2026

અમદાવાદીઓ સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી જીવાત નીકળી, જોઇને ચડશે ચીતરી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અહીં સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાવાદી યુવાનો તો આ કાફેમાં જઇ પિઝા આરોગતા હોય છે. ત્યારે અમદાવાદના જાણીતા ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નિકળી છે. આ સાથે જ બોપલના પાપા લુઈસ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વાનગી બનાવવામાં સડેલાં બટાકાનો ઉપયોગ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના બોપલ વિસ્તાર નજીક આવેલા વકીલ સાહેબ બ્રિજ નજીક પાપા લુઇસ નામના પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો દાવો કરાયો છે. આજે એક ગ્રાહકે અમદાવાદના પાપા લુઇસ પિત્ઝા સેન્ટરમાં જીવાત નિકળવાનો દાવો કરતા વીડિયો વાયરલ કર્યો છે. આ ફરિયાદીએ પાપા લુઇસ પિઝા સેન્ટર દ્વારા આપવામાં આવેલ બીલની કોપી પણ આ વીડિયોમાં શેર કરી છે. જેમા કસ્ટમરને પાણીની બોટલનું બીલ પણ આપવામાં આવ્યું છે.ત્યાં જ પાપા લુઇસના સેન્ટરમાં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ ફરિયાદીને પિઝાના સ્થાને પાણીની બોટલનું બિલ અપાયું હોવાનો પણ દાવો કરાયો છે.

મહત્વનું છે કે શહેરના અમુક જાણીતા કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાદનું વધુ એક પિઝા સેન્ટર વિવાદમાં સપડાયું છે. આ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં પિઝા બનાવવામાં આવી રહ્યા હતા ત્યાં ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા હતા જે બાદ આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...