Wednesday, September 17, 2025

ચાંદખેડામાં ટ્યુશન ક્લાસિસમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરતો લંપટ શિક્ષક ઝડપાયો

Share

Share

અમદાવાદ : ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે. છોકરીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 6ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે તેના પિતા સાથે ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશ સોલંકીને ત્યાં ધોરણ 12ના ગ્રુપ ટ્યુશનમાં એડમિશન લીધું હતું. જેમાં ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હતો. ટ્યુશન બાબતે યુવતી તેના પિતા સાથે પ્રકાશ સોલંકીને ત્યાં મળવા માટે ગયેલ ત્યારે પ્રકાશે જણાવ્યું હતું કે, હું રેકી અને હિલિંગ કરું છું, જે શરીરના સાત ચક્રો જાગૃત કરે છે, ત્યારે તેણે યુવતીના માથા તેમજ ગળાના ભાગે હાથ મૂકી રેકી કરી હતી.

આ લંપટ શિક્ષકે અનેક વિદ્યાર્થિનીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાની આશંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક પ્રકાશ સોલંકીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપીના ટ્યુશન કલાસીસ અને આજુબાજુના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય વિદ્યાર્થિનીઓના નિવેદન લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...