Saturday, March 7, 2026

ગણેશજીના મહોત્સવની તૈયારીઓ શરૂ, આ સ્થળે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાણ શરૂ કરાયું

spot_img
Share

અમદાવાદ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ગણતરીના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આ તહેવારની ઉજવણીને લઈને ભક્તોમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ લોકો ભગવાનની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ હાટમાં ગણપતિજીની જુદી જુદી મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.

હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હાટમાં પણ અવનવી ગણપતિની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે. જેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓમાં ખાસ તિરુપતિ, સિંદુરિયા, સિદ્ધિ વિનાયક, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિ, બાલ ગણેશા, મહારાષ્ટ્રીયન વગેરે પ્રકારના ગણપતિજીની મૂર્તિઓની માંગ વધારે જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, અહીં વેપારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે.તેથી બજાર કરતા સસ્તા ભાવે મૂર્તિઓ મળે છે.

હાલ મોટી સંખ્યામાં લોકો અહીં મૂર્તિની ખરીદી કરવા પણ આવી રહ્યા છે.અહીં 251 રૂપિયાથી લઈ 21 હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે.આ મૂર્તિઓ તેની સાઈઝ અને કલાત્મકતા પર આધાર રાખે છે.અહીં મળતી તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે. જે માટી, વાંસની લાકડીઓ, ઘાસ અને કુદરતી રંગોનો ઉપયોગ કરી ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવી છે.

આ માર્કેટમાં મૂર્તિકાર સીધા જ વેચાણ દ્વારા નફો કરી શકે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં અમુક વેપારીઓ ગણેશજીની મૂર્તિઓ મહારાષ્ટ્રથી લાવીને તો કેટલાક વેપારીઓ જાતે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં લાલ ગણેશ, પિતાંબરધારી ગણેશ, સિદ્ધિ વિનાયક ગણેશની માંગ વધારે જોવા મળી રહી છે.

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વપરાશને લીધે પર્યાવરણ અને ખાસ કરીને જળાશયોનું પાણી દૂષિત થાય છે. તેથી આપણે સૌએ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિને બદલે માટીમાંથી બનાવેલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...