Saturday, April 25, 2026

ગણેશજીના મહોત્સવની તૈયારીઓ શરૂ, આ સ્થળે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાણ શરૂ કરાયું

spot_img
Share

અમદાવાદ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ગણતરીના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આ તહેવારની ઉજવણીને લઈને ભક્તોમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ લોકો ભગવાનની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ હાટમાં ગણપતિજીની જુદી જુદી મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.

હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હાટમાં પણ અવનવી ગણપતિની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે. જેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓમાં ખાસ તિરુપતિ, સિંદુરિયા, સિદ્ધિ વિનાયક, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિ, બાલ ગણેશા, મહારાષ્ટ્રીયન વગેરે પ્રકારના ગણપતિજીની મૂર્તિઓની માંગ વધારે જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, અહીં વેપારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે.તેથી બજાર કરતા સસ્તા ભાવે મૂર્તિઓ મળે છે.

હાલ મોટી સંખ્યામાં લોકો અહીં મૂર્તિની ખરીદી કરવા પણ આવી રહ્યા છે.અહીં 251 રૂપિયાથી લઈ 21 હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે.આ મૂર્તિઓ તેની સાઈઝ અને કલાત્મકતા પર આધાર રાખે છે.અહીં મળતી તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે. જે માટી, વાંસની લાકડીઓ, ઘાસ અને કુદરતી રંગોનો ઉપયોગ કરી ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવી છે.

આ માર્કેટમાં મૂર્તિકાર સીધા જ વેચાણ દ્વારા નફો કરી શકે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં અમુક વેપારીઓ ગણેશજીની મૂર્તિઓ મહારાષ્ટ્રથી લાવીને તો કેટલાક વેપારીઓ જાતે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં લાલ ગણેશ, પિતાંબરધારી ગણેશ, સિદ્ધિ વિનાયક ગણેશની માંગ વધારે જોવા મળી રહી છે.

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વપરાશને લીધે પર્યાવરણ અને ખાસ કરીને જળાશયોનું પાણી દૂષિત થાય છે. તેથી આપણે સૌએ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિને બદલે માટીમાંથી બનાવેલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...