Saturday, January 24, 2026

ગણેશજીના મહોત્સવની તૈયારીઓ શરૂ, આ સ્થળે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાણ શરૂ કરાયું

spot_img
Share

અમદાવાદ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ગણતરીના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આ તહેવારની ઉજવણીને લઈને ભક્તોમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ લોકો ભગવાનની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ હાટમાં ગણપતિજીની જુદી જુદી મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.

હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હાટમાં પણ અવનવી ગણપતિની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે. જેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓમાં ખાસ તિરુપતિ, સિંદુરિયા, સિદ્ધિ વિનાયક, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિ, બાલ ગણેશા, મહારાષ્ટ્રીયન વગેરે પ્રકારના ગણપતિજીની મૂર્તિઓની માંગ વધારે જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, અહીં વેપારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે.તેથી બજાર કરતા સસ્તા ભાવે મૂર્તિઓ મળે છે.

હાલ મોટી સંખ્યામાં લોકો અહીં મૂર્તિની ખરીદી કરવા પણ આવી રહ્યા છે.અહીં 251 રૂપિયાથી લઈ 21 હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે.આ મૂર્તિઓ તેની સાઈઝ અને કલાત્મકતા પર આધાર રાખે છે.અહીં મળતી તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે. જે માટી, વાંસની લાકડીઓ, ઘાસ અને કુદરતી રંગોનો ઉપયોગ કરી ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવી છે.

આ માર્કેટમાં મૂર્તિકાર સીધા જ વેચાણ દ્વારા નફો કરી શકે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં અમુક વેપારીઓ ગણેશજીની મૂર્તિઓ મહારાષ્ટ્રથી લાવીને તો કેટલાક વેપારીઓ જાતે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં લાલ ગણેશ, પિતાંબરધારી ગણેશ, સિદ્ધિ વિનાયક ગણેશની માંગ વધારે જોવા મળી રહી છે.

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વપરાશને લીધે પર્યાવરણ અને ખાસ કરીને જળાશયોનું પાણી દૂષિત થાય છે. તેથી આપણે સૌએ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિને બદલે માટીમાંથી બનાવેલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...