Thursday, April 30, 2026

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટનો ધમધમાટ, કાર્ગો મોટર્સથી RTOનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિસ્થાપિતોના પુનઃ સ્થાપનની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ હોવાથી હવે રિડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આના પગલે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ડિસેમ્બરના Gandhi Ashram Redevelopment અંત સુધીમાં કાર્ગો મોટર્સથી RTO સુધીનો આશ્રમ રોડ કાયમી ધોરણે બંધ કરવાનું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આશ્રમ રોડના 750 મીટર લાંબા આ એકશનને કાયમી ધોરણે બંધ કરવાની હિલચાર હાથ ધરવામાં આવી છે. વાડજમાં ગાંધીઆશ્રમ મેમોરિયલ એન્ડ સંકુલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામદેવ પીર ટેકરા ઝુંપડપટ્ટી પુનર્વસન એમ બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી આરટીઓ સુધીના આશ્રમ રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

આ રોડ બંધ કરવાના કારણે સર્જાનારી મુશ્કેલી નીવારવા માટે Gandhi Ashram Redevelopment કાર્ગો મોટર્સની બાજુમાં આવેલા 18 મીટરની પહોળાઈના રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. આના પગલે હવે નવો રૂટ વાયા પ્રબોધ રાવલ બ્રિજ મારફતે સૂચિત 24 મીટર પહોળા રસ્તાને સાંકળવામાં આવશે. નવો રુટ 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે.

સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમ કાંઠાનો રસ્તો રામાપીરના ટેકરા થઈને 24 મીટર પહોળાઈના રસ્તા સાથે સીધો જોડાશે. આ રસ્તો રાણીપ ખાતેના GSRTC બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે હાલમાં ચંદ્રભાગા નાળા સાથે જમીન પુનઃ પ્રાપ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આશ્રમ રોડ બંધ કરવા ઉપરાંત વાડજ ઝૂપંડપટ્ટીના પુનર્વસન અને Gandhi Ashram Redevelopment ગાંધી આશ્રમ પુનર્વસન પ્રોજેક્ટ માટે એએમસી નવું જ રોડ નેટવર્ક સ્થાપશે. ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીના પુનઃ વિકાસ પ્રોજેક્ટ સહિત બંને પ્રોજેક્ટને સુસંગત રહીને 10 જેટલા આંતરિક રસ્તા તૈયાર કરવાની વેચારણા છે. આ માટે ટીપી સ્કીમ 28માં ફેરફાર કરવામાં આવ્યા છે.

AMC ગાંધી આશ્રમ વિકાસ યોજના હેઠળ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક માટે 29.28 કરોડ, ડ્રેનેજ નેટવર્ક પાછળ 12.21 કરોડ અને વરસાદી પાણીના નિકાલ માટે 28.62 કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેક્ટમાં 51.43 કરોડના ચંદ્રભાગા નેચરલ ડ્રેઇન નેટવર્કનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...