Friday, March 13, 2026

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટનો ધમધમાટ, કાર્ગો મોટર્સથી RTOનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિસ્થાપિતોના પુનઃ સ્થાપનની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ હોવાથી હવે રિડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આના પગલે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ડિસેમ્બરના Gandhi Ashram Redevelopment અંત સુધીમાં કાર્ગો મોટર્સથી RTO સુધીનો આશ્રમ રોડ કાયમી ધોરણે બંધ કરવાનું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આશ્રમ રોડના 750 મીટર લાંબા આ એકશનને કાયમી ધોરણે બંધ કરવાની હિલચાર હાથ ધરવામાં આવી છે. વાડજમાં ગાંધીઆશ્રમ મેમોરિયલ એન્ડ સંકુલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામદેવ પીર ટેકરા ઝુંપડપટ્ટી પુનર્વસન એમ બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી આરટીઓ સુધીના આશ્રમ રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

આ રોડ બંધ કરવાના કારણે સર્જાનારી મુશ્કેલી નીવારવા માટે Gandhi Ashram Redevelopment કાર્ગો મોટર્સની બાજુમાં આવેલા 18 મીટરની પહોળાઈના રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. આના પગલે હવે નવો રૂટ વાયા પ્રબોધ રાવલ બ્રિજ મારફતે સૂચિત 24 મીટર પહોળા રસ્તાને સાંકળવામાં આવશે. નવો રુટ 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે.

સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમ કાંઠાનો રસ્તો રામાપીરના ટેકરા થઈને 24 મીટર પહોળાઈના રસ્તા સાથે સીધો જોડાશે. આ રસ્તો રાણીપ ખાતેના GSRTC બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે હાલમાં ચંદ્રભાગા નાળા સાથે જમીન પુનઃ પ્રાપ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આશ્રમ રોડ બંધ કરવા ઉપરાંત વાડજ ઝૂપંડપટ્ટીના પુનર્વસન અને Gandhi Ashram Redevelopment ગાંધી આશ્રમ પુનર્વસન પ્રોજેક્ટ માટે એએમસી નવું જ રોડ નેટવર્ક સ્થાપશે. ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીના પુનઃ વિકાસ પ્રોજેક્ટ સહિત બંને પ્રોજેક્ટને સુસંગત રહીને 10 જેટલા આંતરિક રસ્તા તૈયાર કરવાની વેચારણા છે. આ માટે ટીપી સ્કીમ 28માં ફેરફાર કરવામાં આવ્યા છે.

AMC ગાંધી આશ્રમ વિકાસ યોજના હેઠળ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક માટે 29.28 કરોડ, ડ્રેનેજ નેટવર્ક પાછળ 12.21 કરોડ અને વરસાદી પાણીના નિકાલ માટે 28.62 કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેક્ટમાં 51.43 કરોડના ચંદ્રભાગા નેચરલ ડ્રેઇન નેટવર્કનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...