Tuesday, January 20, 2026

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટનો ધમધમાટ, કાર્ગો મોટર્સથી RTOનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિસ્થાપિતોના પુનઃ સ્થાપનની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ હોવાથી હવે રિડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આના પગલે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ડિસેમ્બરના Gandhi Ashram Redevelopment અંત સુધીમાં કાર્ગો મોટર્સથી RTO સુધીનો આશ્રમ રોડ કાયમી ધોરણે બંધ કરવાનું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આશ્રમ રોડના 750 મીટર લાંબા આ એકશનને કાયમી ધોરણે બંધ કરવાની હિલચાર હાથ ધરવામાં આવી છે. વાડજમાં ગાંધીઆશ્રમ મેમોરિયલ એન્ડ સંકુલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામદેવ પીર ટેકરા ઝુંપડપટ્ટી પુનર્વસન એમ બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી આરટીઓ સુધીના આશ્રમ રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

આ રોડ બંધ કરવાના કારણે સર્જાનારી મુશ્કેલી નીવારવા માટે Gandhi Ashram Redevelopment કાર્ગો મોટર્સની બાજુમાં આવેલા 18 મીટરની પહોળાઈના રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. આના પગલે હવે નવો રૂટ વાયા પ્રબોધ રાવલ બ્રિજ મારફતે સૂચિત 24 મીટર પહોળા રસ્તાને સાંકળવામાં આવશે. નવો રુટ 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે.

સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમ કાંઠાનો રસ્તો રામાપીરના ટેકરા થઈને 24 મીટર પહોળાઈના રસ્તા સાથે સીધો જોડાશે. આ રસ્તો રાણીપ ખાતેના GSRTC બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે હાલમાં ચંદ્રભાગા નાળા સાથે જમીન પુનઃ પ્રાપ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આશ્રમ રોડ બંધ કરવા ઉપરાંત વાડજ ઝૂપંડપટ્ટીના પુનર્વસન અને Gandhi Ashram Redevelopment ગાંધી આશ્રમ પુનર્વસન પ્રોજેક્ટ માટે એએમસી નવું જ રોડ નેટવર્ક સ્થાપશે. ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીના પુનઃ વિકાસ પ્રોજેક્ટ સહિત બંને પ્રોજેક્ટને સુસંગત રહીને 10 જેટલા આંતરિક રસ્તા તૈયાર કરવાની વેચારણા છે. આ માટે ટીપી સ્કીમ 28માં ફેરફાર કરવામાં આવ્યા છે.

AMC ગાંધી આશ્રમ વિકાસ યોજના હેઠળ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક માટે 29.28 કરોડ, ડ્રેનેજ નેટવર્ક પાછળ 12.21 કરોડ અને વરસાદી પાણીના નિકાલ માટે 28.62 કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેક્ટમાં 51.43 કરોડના ચંદ્રભાગા નેચરલ ડ્રેઇન નેટવર્કનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...