Monday, September 15, 2025

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પોતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ જોઈને ચોંક્યા, કહી આ વાત

Share

Share

અમદાવાદ : સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના નારણપુરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી ખુદ કૌશિકભાઈ પટેલએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને આ ગેરરીતિ માટેની ફરિયાદ પણ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાની સીટ પર ગત ટર્મે ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના Kaushik Patel K નામનુ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર કૌશિકભાઈ પટેલની તસવીરનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કવર ફોટો તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શપથવિધિની તસવીર સેટ કરી રાખી છે. કૌશિકભાઈ પટેલના જણાવ્યા મુજબ એક મહિના અગાઉ આ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

કૌશિકભાઈ પટેલએ આ અંગે માહિતી શેર કરતા પોતાના ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર એક મેસેજ સાથે લખ્યું હતું કે, પ્રિય મિત્રો, અહી અટેચ કરેલ ફોટો માં દર્શાવેલ જે Kaushik Patel K નામનુ ફેસબૂક એકાઉન્ટ છે, તે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા મારા નામનો દુરુપયોગ કરવા માટે ખોટી રીતે બનાવેલ છે. આ એકાઉન્ટ તદ્દન ખોટુ છે તેની નોંધ લેવી અને તે એકાઉન્ટ પરથી આવતા કોઇ પણ મેસેજનો રિપ્લાય આપવો નહિ અને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારવી નહી. આ સાથે અમોએ આ ગેરરીતિ માટેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...