Thursday, January 22, 2026

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પોતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ જોઈને ચોંક્યા, કહી આ વાત

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના નારણપુરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી ખુદ કૌશિકભાઈ પટેલએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને આ ગેરરીતિ માટેની ફરિયાદ પણ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાની સીટ પર ગત ટર્મે ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના Kaushik Patel K નામનુ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર કૌશિકભાઈ પટેલની તસવીરનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કવર ફોટો તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શપથવિધિની તસવીર સેટ કરી રાખી છે. કૌશિકભાઈ પટેલના જણાવ્યા મુજબ એક મહિના અગાઉ આ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

કૌશિકભાઈ પટેલએ આ અંગે માહિતી શેર કરતા પોતાના ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર એક મેસેજ સાથે લખ્યું હતું કે, પ્રિય મિત્રો, અહી અટેચ કરેલ ફોટો માં દર્શાવેલ જે Kaushik Patel K નામનુ ફેસબૂક એકાઉન્ટ છે, તે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા મારા નામનો દુરુપયોગ કરવા માટે ખોટી રીતે બનાવેલ છે. આ એકાઉન્ટ તદ્દન ખોટુ છે તેની નોંધ લેવી અને તે એકાઉન્ટ પરથી આવતા કોઇ પણ મેસેજનો રિપ્લાય આપવો નહિ અને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારવી નહી. આ સાથે અમોએ આ ગેરરીતિ માટેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...