Thursday, March 12, 2026

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પોતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ જોઈને ચોંક્યા, કહી આ વાત

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના નારણપુરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી ખુદ કૌશિકભાઈ પટેલએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને આ ગેરરીતિ માટેની ફરિયાદ પણ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાની સીટ પર ગત ટર્મે ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના Kaushik Patel K નામનુ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચર પર કૌશિકભાઈ પટેલની તસવીરનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કવર ફોટો તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શપથવિધિની તસવીર સેટ કરી રાખી છે. કૌશિકભાઈ પટેલના જણાવ્યા મુજબ એક મહિના અગાઉ આ ફેસબૂક ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

કૌશિકભાઈ પટેલએ આ અંગે માહિતી શેર કરતા પોતાના ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર એક મેસેજ સાથે લખ્યું હતું કે, પ્રિય મિત્રો, અહી અટેચ કરેલ ફોટો માં દર્શાવેલ જે Kaushik Patel K નામનુ ફેસબૂક એકાઉન્ટ છે, તે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા મારા નામનો દુરુપયોગ કરવા માટે ખોટી રીતે બનાવેલ છે. આ એકાઉન્ટ તદ્દન ખોટુ છે તેની નોંધ લેવી અને તે એકાઉન્ટ પરથી આવતા કોઇ પણ મેસેજનો રિપ્લાય આપવો નહિ અને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ સ્વીકારવી નહી. આ સાથે અમોએ આ ગેરરીતિ માટેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં આપેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...