Friday, March 13, 2026

અમદાવાદમાં AMCનો નવતર પ્રયોગ, મચ્છર ભગાવવા કર્યો સુતળી બોલનો ઉપયોગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMCનો આરોગ્ય વિભાગ ફેંકી રહ્યું છે ગ્રેનેડ? તમે આ સાંભળી ચોક્કસ ચોંકી ઉઠ્યા હશો પણ ધીરજ રાખજો. આ કોઈ ગ્રેનેડ નથી, ગ્રેનેડ બૉમ્બ નથી પણ સૂતળીના બનેલા ગ્રેનેડ બોલ છે. જે એક ખાસ પ્રકારનું ખાસ ઓઇલ ઉપયોગ કરી મચ્છરના પોરાંઓનો નાશ કરે છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં એક અંદાજ મુજબ 1500થી વધુ સુતરીના બોલ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

AMC આરોગ્ય વિભાગના મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સૂતળી બોલ દ્વારા એમએલઓ ઓઇસન છંટકાવ આ રીતે કરવામાં આવે છે. જેથી મચ્છરોના પોરાં થયા પહેલાં જ ખતમ થઈ જાય. આ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ એકમ, જગ્યાઓ કે જેની છત ઉપર ચડવા માટે સીડી અથવા અન્ય કોઈ વિકલ્પ ન હોય, ઘર બંધ હાલતમાં હોઈ, રેલવે લાઇનની આજુબાજુના ખાડાઓ કે જ્યાં આપણે પહોંચી શકતા નથી. તેવી તમામ જગ્યાઓએ આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

આ સૂતળીના બોલનો ઉપયોગ કરતા પહેલાં 2-3 કલાક સુધી ઓઇલ ભરેલા પાત્રમાં બોળી રાખવામાં આવે છે. જ્યારે કામગીરી શરૂ કરતા પાણી ભરાયેલા જગ્યાઓ ઉપર ફેંકી સદર પાણીમાં એમએસઓ છંટકાવ કરવામાં આવે છે. આ રીતે મચ્છર ઉપ્તન્ન કરતા હિડન સોર્સ શોધીને તેમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ મેલેરિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...