Tuesday, September 16, 2025

અમદાવાદમાં AMCનો નવતર પ્રયોગ, મચ્છર ભગાવવા કર્યો સુતળી બોલનો ઉપયોગ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં AMCનો આરોગ્ય વિભાગ ફેંકી રહ્યું છે ગ્રેનેડ? તમે આ સાંભળી ચોક્કસ ચોંકી ઉઠ્યા હશો પણ ધીરજ રાખજો. આ કોઈ ગ્રેનેડ નથી, ગ્રેનેડ બૉમ્બ નથી પણ સૂતળીના બનેલા ગ્રેનેડ બોલ છે. જે એક ખાસ પ્રકારનું ખાસ ઓઇલ ઉપયોગ કરી મચ્છરના પોરાંઓનો નાશ કરે છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં એક અંદાજ મુજબ 1500થી વધુ સુતરીના બોલ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

AMC આરોગ્ય વિભાગના મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સૂતળી બોલ દ્વારા એમએલઓ ઓઇસન છંટકાવ આ રીતે કરવામાં આવે છે. જેથી મચ્છરોના પોરાં થયા પહેલાં જ ખતમ થઈ જાય. આ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ એકમ, જગ્યાઓ કે જેની છત ઉપર ચડવા માટે સીડી અથવા અન્ય કોઈ વિકલ્પ ન હોય, ઘર બંધ હાલતમાં હોઈ, રેલવે લાઇનની આજુબાજુના ખાડાઓ કે જ્યાં આપણે પહોંચી શકતા નથી. તેવી તમામ જગ્યાઓએ આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

આ સૂતળીના બોલનો ઉપયોગ કરતા પહેલાં 2-3 કલાક સુધી ઓઇલ ભરેલા પાત્રમાં બોળી રાખવામાં આવે છે. જ્યારે કામગીરી શરૂ કરતા પાણી ભરાયેલા જગ્યાઓ ઉપર ફેંકી સદર પાણીમાં એમએસઓ છંટકાવ કરવામાં આવે છે. આ રીતે મચ્છર ઉપ્તન્ન કરતા હિડન સોર્સ શોધીને તેમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ મેલેરિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...