Sunday, January 25, 2026

અમદાવાદમાં AMCનો નવતર પ્રયોગ, મચ્છર ભગાવવા કર્યો સુતળી બોલનો ઉપયોગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMCનો આરોગ્ય વિભાગ ફેંકી રહ્યું છે ગ્રેનેડ? તમે આ સાંભળી ચોક્કસ ચોંકી ઉઠ્યા હશો પણ ધીરજ રાખજો. આ કોઈ ગ્રેનેડ નથી, ગ્રેનેડ બૉમ્બ નથી પણ સૂતળીના બનેલા ગ્રેનેડ બોલ છે. જે એક ખાસ પ્રકારનું ખાસ ઓઇલ ઉપયોગ કરી મચ્છરના પોરાંઓનો નાશ કરે છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં એક અંદાજ મુજબ 1500થી વધુ સુતરીના બોલ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

AMC આરોગ્ય વિભાગના મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સૂતળી બોલ દ્વારા એમએલઓ ઓઇસન છંટકાવ આ રીતે કરવામાં આવે છે. જેથી મચ્છરોના પોરાં થયા પહેલાં જ ખતમ થઈ જાય. આ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ એકમ, જગ્યાઓ કે જેની છત ઉપર ચડવા માટે સીડી અથવા અન્ય કોઈ વિકલ્પ ન હોય, ઘર બંધ હાલતમાં હોઈ, રેલવે લાઇનની આજુબાજુના ખાડાઓ કે જ્યાં આપણે પહોંચી શકતા નથી. તેવી તમામ જગ્યાઓએ આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

આ સૂતળીના બોલનો ઉપયોગ કરતા પહેલાં 2-3 કલાક સુધી ઓઇલ ભરેલા પાત્રમાં બોળી રાખવામાં આવે છે. જ્યારે કામગીરી શરૂ કરતા પાણી ભરાયેલા જગ્યાઓ ઉપર ફેંકી સદર પાણીમાં એમએસઓ છંટકાવ કરવામાં આવે છે. આ રીતે મચ્છર ઉપ્તન્ન કરતા હિડન સોર્સ શોધીને તેમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ મેલેરિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...