Friday, March 13, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30મીએ આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે. અમિત શાહ 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

ટીવી અહેવાલો મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે.અમિત શાહ દ્વારા રૂ. 262.27 કરોડના પ્રોજેક્ટનાં લોકાર્પણ અને રૂ.910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં પાણી, ગટર અને રોડના પ્રોજેક્ટનાં કામોનો સમાવેશ કરાયો છે. તળાવોના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ છે. ગોતા-ગોધાવી કેનાલને રિમોલ્ડ કરી ખુલ્લી ટનલનું બોક્સ બનાવી ડેવલપ કરાશે.

વિગતે જોઈએ તો 30 મી તારીખે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ઓકાફ ગામ તળાવનું ખાતમુહૂર્ત, થલતેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ભારત તળાવનું ખાતમુહૂર્ત, ગોતા વોર્ડમાં નવા તૈયાર થનાર ઓગણજ ગામ તળાવનું ખાતમુહૂર્ત, ચાંદલોડિયા વોર્ડમાં નવા તૈયાર થનાર જગતપુર ગામ તળાવનું ખાતમુહૂર્ત તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ ખાતમુહૂર્તના કાર્યક્રમને લીલી ઝંડી આપશે.

આ ઉપરાંત ત્રાગડના માલાબાર કાઉન્ટી-3ની બાજુના શ્રી બહુચર સત્સંગ હોલની સામેના ખુલ્લા પ્લોટમાં શનિવારે સવારના સાડા દસ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓ માટેના પિન્ક ટોઇલેટનું તેમના હસ્તે ઈ-લોકાર્પણ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...