Wednesday, January 21, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30મીએ આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે. અમિત શાહ 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

ટીવી અહેવાલો મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે.અમિત શાહ દ્વારા રૂ. 262.27 કરોડના પ્રોજેક્ટનાં લોકાર્પણ અને રૂ.910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં પાણી, ગટર અને રોડના પ્રોજેક્ટનાં કામોનો સમાવેશ કરાયો છે. તળાવોના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ છે. ગોતા-ગોધાવી કેનાલને રિમોલ્ડ કરી ખુલ્લી ટનલનું બોક્સ બનાવી ડેવલપ કરાશે.

વિગતે જોઈએ તો 30 મી તારીખે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ઓકાફ ગામ તળાવનું ખાતમુહૂર્ત, થલતેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ભારત તળાવનું ખાતમુહૂર્ત, ગોતા વોર્ડમાં નવા તૈયાર થનાર ઓગણજ ગામ તળાવનું ખાતમુહૂર્ત, ચાંદલોડિયા વોર્ડમાં નવા તૈયાર થનાર જગતપુર ગામ તળાવનું ખાતમુહૂર્ત તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ ખાતમુહૂર્તના કાર્યક્રમને લીલી ઝંડી આપશે.

આ ઉપરાંત ત્રાગડના માલાબાર કાઉન્ટી-3ની બાજુના શ્રી બહુચર સત્સંગ હોલની સામેના ખુલ્લા પ્લોટમાં શનિવારે સવારના સાડા દસ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓ માટેના પિન્ક ટોઇલેટનું તેમના હસ્તે ઈ-લોકાર્પણ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...