અમદાવાદ : અમદાવાદમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મોટાભાગે ઓટો, રીક્ષા, કેબ કે ટેક્ષીનો ઉપયોગ કરે છે. આ સર્વિસના ઉપયોગ દરમિયાન જે વાહનમાં મુસાફરી કરતા હોય તેની સાથે વાહનચાલક દ્વારા સામાનની ચોરી, લૂંટ, છેડતી, અપહરણ જેવા બનાવ બનતા હોય છે. તાજેતરમાં જ ટેક્ષીમાં મુસાફરી કરતા દંપતી સાથે ગેરવર્તન કરી પોલીસકર્મીઓએ તોડ કરી નાખ્યો છે, જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા ઓટો રીક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર,પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 30, 2023
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે પોતાના વાહનમાં મુસાફરને સ્પષ્ટ દેખાય તે રીતે કાયમી વાહન નંબર, વાહન માલિકનું નામ,પોલીસનો કંટ્રોલરૂમનો નંબર અને હેલ્પલાઇનનો નંબર ફરજિયાત લખવા આદેશ કર્યો છે. 12×10 ઇંચના સાઈઝના બોર્ડ પર 13 mmના અક્ષરની ફોન્ટ સાઈઝ રાખીને તમામ વિગત લખવાની રહેશે. વાહનમાલિકનું નામ સ્કેચ પેનથી લખી શકાશે.
1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી વાહનચાલકોએ વાહનમાં લખાણ લખાવવાનું રહેશે.આ જાહેરનામાનો અમલ 2 મહિના એટલે કે 30 નવેમ્બર સુધી કરવાનું રહેશે.1 નવેમ્બરથી પોલીસ દ્વારા જે વાહનમાં લખાણ નહિ હોય તે વાહનચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોધી ધરપકડ કરવામાં આવશે.


