Wednesday, March 11, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું, ઓટો રીક્ષા, કેબ તેમજ ટેક્સીમાં આ નિયમનું પાલન ફરજીયાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મોટાભાગે ઓટો, રીક્ષા, કેબ કે ટેક્ષીનો ઉપયોગ કરે છે. આ સર્વિસના ઉપયોગ દરમિયાન જે વાહનમાં મુસાફરી કરતા હોય તેની સાથે વાહનચાલક દ્વારા સામાનની ચોરી, લૂંટ, છેડતી, અપહરણ જેવા બનાવ બનતા હોય છે. તાજેતરમાં જ ટેક્ષીમાં મુસાફરી કરતા દંપતી સાથે ગેરવર્તન કરી પોલીસકર્મીઓએ તોડ કરી નાખ્યો છે, જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા ઓટો રીક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર,પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.


અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે પોતાના વાહનમાં મુસાફરને સ્પષ્ટ દેખાય તે રીતે કાયમી વાહન નંબર, વાહન માલિકનું નામ,પોલીસનો કંટ્રોલરૂમનો નંબર અને હેલ્પલાઇનનો નંબર ફરજિયાત લખવા આદેશ કર્યો છે. 12×10 ઇંચના સાઈઝના બોર્ડ પર 13 mmના અક્ષરની ફોન્ટ સાઈઝ રાખીને તમામ વિગત લખવાની રહેશે. વાહનમાલિકનું નામ સ્કેચ પેનથી લખી શકાશે.

1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી વાહનચાલકોએ વાહનમાં લખાણ લખાવવાનું રહેશે.આ જાહેરનામાનો અમલ 2 મહિના એટલે કે 30 નવેમ્બર સુધી કરવાનું રહેશે.1 નવેમ્બરથી પોલીસ દ્વારા જે વાહનમાં લખાણ નહિ હોય તે વાહનચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોધી ધરપકડ કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...