Saturday, March 7, 2026

અમદાવાદમાં 4 ઓક્ટોબરે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની, બોલીવુડની આ હસ્તીઓ કરશે પરફોર્મ

spot_img
Share

અમદાવાદ : ICC વન ડે વર્લ્ડ કપ 2023નો શંખનાદ થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારત પહેલી વખત વર્લ્ડ કપની એકલુ મેજબાની કરી રહ્યુ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 ઓક્ટોબરે ટુર્નામેન્ટની પહેલી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થશે. 4 ઓક્ટોબરે આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની થશે, જેમાં બોલીવુડની જોરદાર ધમાલ જોવા મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઓપનિંગ સેરેમનીમાં એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાના ડાન્સથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. દિગ્ગજ ગાયિકા આશા ભોસલે અને જાણીતા પ્લેબેક સિંગર અરિજિત સિંહ પોતાના અવાજનો જાદુ ચલાવશે. આ સિવાય શ્રેષ્ઠ સિંગર શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. સાથે જ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન પણ પરફોર્મ કરશે. મહાદેવને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની થીમ સોન્ગ દે ઘુમાકે ગાયુ હતુ, જે ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ. તેમણે દે ઘૂમાકેને અહસાન અને લોય સાથે મળીને તૈયાર કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવશે, જેમાં 10 ટીમો ટ્રોફી માટે ટક્કર કરશે. એક ટીમે 9 લીગ મેચ રમવાની છે. ટોપ-4 ટીમ સેમિફાઈનલમાં એન્ટ્રી કરશે. ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે. જે બાદ ભારતની 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટક્કર થશે. ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...