અમદાવાદ : આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વકપ WORLDCUP 2023 નો આરંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ વખતે કોઇ પણ જ પ્રકારની ઓપનિંગ સેરેમની ICC દ્વારા રાખવામાં આવી ન હતી, જો કે વર્લ્ડ કપ શરૂ થયાના એક દિવસ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે કેપ્ટન ડે સેરેમની યોજાઈ હતી, આ કેપ્ટન્સ ડે પર વિશ્વકપમાં ભાગ લેનાર 10 ટીમના 10 કેપ્ટન્સે ટ્રોફી સાથે તસવીર ક્લિક કરી હતી. સાથે જ WCની ટીમ્સના કેપ્ટનની પ્રેસ-કોન્ફરન્સ પણ યોજાઈ.
આ ઈવેન્ટમાં રવિ શાસ્ત્રી અને ઈયોન મોર્ગને તમામ કેપ્ટનો સાથે તેમની વર્લ્ડકપની તૈયારીઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ તમામ ટીમોના કેપ્ટનોને પણ સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું, ‘અહીં બેઠેલા તમામ કેપ્ટન પોતાના દેશ માટે કંઈક હાંસલ કરવા ઈચ્છે છે. વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાનું દરેકનું સપનું હોય છે. હું એક વાત કહેવા માંગુ છું કે, ભારતના લોકો ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે. ભારતમાં તમામ ટીમોને ઘણો પ્રેમ મળશે અને દરેક મેચમાં સ્ટેડિયમો ભરાયેલા રહેશે.
રોહિત શર્માએ કહ્યું, ‘વર્લ્ડ કપ માટે દરેક ટીમના કેપ્ટન સાથે સવાલ-જવાબો થયા. ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ભારતમાં વર્લ્ડ કપ હોવાથી મજા આવશે અને ટીમ ફ્રેશ છે એટલે વધુ સારું લાગી રહ્યું છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી અમને સારો અનુભવ મળ્યો છે, જે વર્લ્ડ કપમાં કામ આવશે.
તેણે વધુમાં કહ્યું, ટુર્નામેન્ટ ઈન્ડિયામાં છે, આથી હું ખૂબ એક્સાઇટેડ છું. માત્ર ભારતની જ નહીં પરંતુ દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું જોવા મળશે. અમારી ટીમને તો સપોર્ટ કરવા ફેન્સ આવશે, પરંતુ સાથે-સાથે દરેક ટીમને સપોર્ટ કરવા પણ ફેન્સ સ્ટેડિયમમાં આવશે. ટુર્નામેન્ટ ખૂબ જ સક્સેફુલ જશે.


