Friday, March 13, 2026

રખડતા ઢોરના ત્રાસને ડામવા રાજ્ય સરકાર એક્શન મોડમાં, હવે PASA હેઠળ માલિક સામે કાર્યવાહી થશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તેને કારણે ઘણી વખત નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. છેલ્લા ઘણાં સમયથી હાઇકોર્ટ પણ આ મામલે રાજ્ય સરકારને ટકોર કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેમજ પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારીની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા AMC ને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ. પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે.

રાજ્ય સરકારનો ટૂંકા ગાળાનો એક્શન પ્લાન
1. રખડતા ઢોર પકડવાની કામગીરી રોજિંદી ચાલુ રહેશે
2. તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લાગશે
3. તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે
4. ઢોરવાડાઓને સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે પૂરતી તકેદારી અપાશે
5. ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે
6. જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની પૂરતી સુવિધા નહીં હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્યે આવા ઢોરનું નિર્વહન કરશે.
7. નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી
8. વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી
9. 8 મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેર

AMCના બે અધિકારીઓને રહેશે ઢોરની જવાબદારી
રાજ્ય સરકાર દ્વારા AMCને નિર્દેશ અપાયો છે કે, જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે. ઢોરને લાવવા-લઈ જવા માટે પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે.

ઢોર માલિક સામે PASA થશે
આ સાથે જ રખડતા ઢોર મૂકનારની સામે ભારતીય દંડ સહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે મુજબ કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે. વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ પક્ષણ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...