અમદાવાદ : રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તેને કારણે ઘણી વખત નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. છેલ્લા ઘણાં સમયથી હાઇકોર્ટ પણ આ મામલે રાજ્ય સરકારને ટકોર કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેમજ પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારીની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા AMC ને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ. પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે.
રાજ્ય સરકારનો ટૂંકા ગાળાનો એક્શન પ્લાન
1. રખડતા ઢોર પકડવાની કામગીરી રોજિંદી ચાલુ રહેશે
2. તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લાગશે
3. તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે
4. ઢોરવાડાઓને સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે પૂરતી તકેદારી અપાશે
5. ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે
6. જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની પૂરતી સુવિધા નહીં હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્યે આવા ઢોરનું નિર્વહન કરશે.
7. નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી
8. વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી
9. 8 મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેર
AMCના બે અધિકારીઓને રહેશે ઢોરની જવાબદારી
રાજ્ય સરકાર દ્વારા AMCને નિર્દેશ અપાયો છે કે, જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે. ઢોરને લાવવા-લઈ જવા માટે પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે.
ઢોર માલિક સામે PASA થશે
આ સાથે જ રખડતા ઢોર મૂકનારની સામે ભારતીય દંડ સહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે મુજબ કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે. વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ પક્ષણ આપવામાં આવશે.


