Friday, March 13, 2026

હવે ફાર્માસિસ્ટ વિના દવા વેચનારા મેડીકલ સ્ટોર્સ વિરુદ્ધ આકરો દંડ અને સજાની જોગવાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અનેક મેડીકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડીકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડીકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર હોવા જરૂરી છે. જો ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવામાં આવે તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે એક લાખ કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવશે. આ નવા નિયમથી મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એકટમાં સુધારો કર્યો છે. ફાર્મસી એક્ટના ઉલ્લઘનનો કાયદો વધુ કડક કર્યો છે. હવેથી આ ફાર્મસી એક્ટનો ઉલ્લઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.ફાર્મસિસ્ટ વગર મેડીકલ સ્ટોર્સ ચલાવનારા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત પોતાના ફાર્મસી લાયન્સ ભાડે ચલાવનારા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આ નિયમોનું ઉલ્લઘન કરનારને એક લાખથી બે લાખ સુધીનો દંડ અને ત્રણ મહિનાની સજા અને લાયસન્સ રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.

જેના કારણે અત્યારે જે ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે ચાલી રહ્યાં છે. રજીસ્ટ્રેશન ચાલી રહ્યાં છે તે ઈન્ડસ્ટ્રીઝના લોકો મેડિકલ સ્ટોરમાં ભાડે લાયસન્સ આપી રહ્યાં છે કે, ટીચર્ચ પણ ભાડે આપતા હોય છે તે લોકો માટે કાયદાનું નિયંત્રણ આવશે. એટલે કે, જે લોકોને ફાર્માસિસ્ટ પાસેથી દવા ચોક્કસ ગુણવતાવાળી મળવી જોઈએ ફાર્મસિસ્ટના હાજરીમાં મળશે. સરકારનો આ કાયદો આવવાથી અત્યાર સુધી ફાર્મસી પ્રોફેશન માફિયાઓ ચલાવી રહ્યા હતા તે માફિયાગીરીનો અંત આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...