Wednesday, January 21, 2026

હવે ફાર્માસિસ્ટ વિના દવા વેચનારા મેડીકલ સ્ટોર્સ વિરુદ્ધ આકરો દંડ અને સજાની જોગવાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અનેક મેડીકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડીકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડીકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર હોવા જરૂરી છે. જો ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવામાં આવે તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે એક લાખ કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવશે. આ નવા નિયમથી મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એકટમાં સુધારો કર્યો છે. ફાર્મસી એક્ટના ઉલ્લઘનનો કાયદો વધુ કડક કર્યો છે. હવેથી આ ફાર્મસી એક્ટનો ઉલ્લઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.ફાર્મસિસ્ટ વગર મેડીકલ સ્ટોર્સ ચલાવનારા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત પોતાના ફાર્મસી લાયન્સ ભાડે ચલાવનારા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આ નિયમોનું ઉલ્લઘન કરનારને એક લાખથી બે લાખ સુધીનો દંડ અને ત્રણ મહિનાની સજા અને લાયસન્સ રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.

જેના કારણે અત્યારે જે ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે ચાલી રહ્યાં છે. રજીસ્ટ્રેશન ચાલી રહ્યાં છે તે ઈન્ડસ્ટ્રીઝના લોકો મેડિકલ સ્ટોરમાં ભાડે લાયસન્સ આપી રહ્યાં છે કે, ટીચર્ચ પણ ભાડે આપતા હોય છે તે લોકો માટે કાયદાનું નિયંત્રણ આવશે. એટલે કે, જે લોકોને ફાર્માસિસ્ટ પાસેથી દવા ચોક્કસ ગુણવતાવાળી મળવી જોઈએ ફાર્મસિસ્ટના હાજરીમાં મળશે. સરકારનો આ કાયદો આવવાથી અત્યાર સુધી ફાર્મસી પ્રોફેશન માફિયાઓ ચલાવી રહ્યા હતા તે માફિયાગીરીનો અંત આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...