અમદાવાદ : ગુજરાતમાં અનેક મેડીકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડીકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડીકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર હોવા જરૂરી છે. જો ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવામાં આવે તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે એક લાખ કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવશે. આ નવા નિયમથી મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એકટમાં સુધારો કર્યો છે. ફાર્મસી એક્ટના ઉલ્લઘનનો કાયદો વધુ કડક કર્યો છે. હવેથી આ ફાર્મસી એક્ટનો ઉલ્લઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.ફાર્મસિસ્ટ વગર મેડીકલ સ્ટોર્સ ચલાવનારા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત પોતાના ફાર્મસી લાયન્સ ભાડે ચલાવનારા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આ નિયમોનું ઉલ્લઘન કરનારને એક લાખથી બે લાખ સુધીનો દંડ અને ત્રણ મહિનાની સજા અને લાયસન્સ રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.
જેના કારણે અત્યારે જે ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે ચાલી રહ્યાં છે. રજીસ્ટ્રેશન ચાલી રહ્યાં છે તે ઈન્ડસ્ટ્રીઝના લોકો મેડિકલ સ્ટોરમાં ભાડે લાયસન્સ આપી રહ્યાં છે કે, ટીચર્ચ પણ ભાડે આપતા હોય છે તે લોકો માટે કાયદાનું નિયંત્રણ આવશે. એટલે કે, જે લોકોને ફાર્માસિસ્ટ પાસેથી દવા ચોક્કસ ગુણવતાવાળી મળવી જોઈએ ફાર્મસિસ્ટના હાજરીમાં મળશે. સરકારનો આ કાયદો આવવાથી અત્યાર સુધી ફાર્મસી પ્રોફેશન માફિયાઓ ચલાવી રહ્યા હતા તે માફિયાગીરીનો અંત આવશે.


