Thursday, March 12, 2026

નવરાત્રિ સેલીબ્રેશનને લઈને શાળાઓ-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સાવચેતી જરૂરી

spot_img
Share

માનવ જોષી દ્વારા, અમદાવાદ : રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એકબાજુ ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાળાઓ-કોલેજોમાં એક કે બે દિવસ નવરાત્રિ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળા અને કોલેજ પરિવાર દ્વારા નવરાત્રિ સેલીબ્રેશનના આયોજનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફનું સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ, શાળા પરિવાર દ્વારા સેલીબ્રેશનની સાથે મેડીકલ ટીમ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવું જોઈએ.

નવરાત્રિ સેલીબ્રેશનમાં વિવિધ શાળાઓ-કોલેજોના અસેમ્બલી હોલમાં, પાર્ટી પ્લોટમાં કે પછી રમતના મેદાનમાં ગરબે ઘૂમતા બાળકો કોઈ આકસ્મિક શારીરિક તકલીફનો ભોગ ન બને તે સૌ શાળા-કોલેજોના સંચાલકોની નૈતિક જવાબદારી છે. માટે મિર્ચી ન્યુઝના માધ્યમથી દરેક શાળા-કોલેજોના સંચાલકોને નમ્ર અપીલ છે કે શાળા-કોલેજ પરિવાર દ્વારા યોજાતા ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે કોઈ ડોક્ટરને બોલાવી શકે, નહિતર ગરબા ચોક પાસે કોઈ ડોકટર ઉપલબ્ધ રાખે કે પ્રાથમિક સારવાર મળે એવી વ્યવસ્થા અથવા તો ઇમરજન્સી સેવા માટે આસપાસની હોસ્પિટલમાં અગાઉથી જાણ કરેલ હોય તો કોઈ પણ અકસ્માત સમયે મેડિકલ સેવા ઉપલબ્ધ થઈ શકે. તહેવારની ઉજવણી સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે તો માં અંબાની સ્તુતિમાં સોનામાં સુગંધ ભળશે અને વિધાર્થીઓને પણ એક સુરક્ષાકવચ પ્રદાન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...