Sunday, January 18, 2026

નવરાત્રિ સેલીબ્રેશનને લઈને શાળાઓ-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સાવચેતી જરૂરી

spot_img
Share

માનવ જોષી દ્વારા, અમદાવાદ : રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

એકબાજુ ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાળાઓ-કોલેજોમાં એક કે બે દિવસ નવરાત્રિ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળા અને કોલેજ પરિવાર દ્વારા નવરાત્રિ સેલીબ્રેશનના આયોજનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફનું સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ, શાળા પરિવાર દ્વારા સેલીબ્રેશનની સાથે મેડીકલ ટીમ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવું જોઈએ.

નવરાત્રિ સેલીબ્રેશનમાં વિવિધ શાળાઓ-કોલેજોના અસેમ્બલી હોલમાં, પાર્ટી પ્લોટમાં કે પછી રમતના મેદાનમાં ગરબે ઘૂમતા બાળકો કોઈ આકસ્મિક શારીરિક તકલીફનો ભોગ ન બને તે સૌ શાળા-કોલેજોના સંચાલકોની નૈતિક જવાબદારી છે. માટે મિર્ચી ન્યુઝના માધ્યમથી દરેક શાળા-કોલેજોના સંચાલકોને નમ્ર અપીલ છે કે શાળા-કોલેજ પરિવાર દ્વારા યોજાતા ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે કોઈ ડોક્ટરને બોલાવી શકે, નહિતર ગરબા ચોક પાસે કોઈ ડોકટર ઉપલબ્ધ રાખે કે પ્રાથમિક સારવાર મળે એવી વ્યવસ્થા અથવા તો ઇમરજન્સી સેવા માટે આસપાસની હોસ્પિટલમાં અગાઉથી જાણ કરેલ હોય તો કોઈ પણ અકસ્માત સમયે મેડિકલ સેવા ઉપલબ્ધ થઈ શકે. તહેવારની ઉજવણી સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે તો માં અંબાની સ્તુતિમાં સોનામાં સુગંધ ભળશે અને વિધાર્થીઓને પણ એક સુરક્ષાકવચ પ્રદાન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...