Sunday, March 15, 2026

અમદાવાદમાંથી INDVsPAK મેચની નકલી ટિકિટનું કૌભાંડ ઝડપાયું, ચાર શખ્સોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : આગામી 14મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાનાર છે. આ મેચનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટીકીટો માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટ ઝડપાઈ છે. મેચની 150 જેટલી નકલી ટિકિટ મળી આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ટિકિટ બનાવવાની સાધન સામગ્રી સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 2 હજારની કિંમતની 150 નકલી ટિકિટ કબજે કરી 4 આરોપીને ઝડપ્યા હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમબ્રાન્ચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડી નકલી ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ કબજે કર્યા છે. આરોપીઓએ 1 પેજ પર 3 ટિકિટની કલરપ્રિન્ટ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. તેમજ સોશિયલ મીડિયામાં પર કેટલાક લોકો નકલી ટિકિટો વેચીને લોકોને છેતરવાસો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડને લઇને ચેતવણી આપી હતી. અને સહાયતા માટે સાઈબર હેલ્પલાઈન નંબર 1930 અથવા હેલ્પલાઈન નંબર 100\112 પર કોલ કરવા જણાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ સૌ કોઈ ખરીદવા માગે છે, ત્યારે ઓગસ્ટના અંતમાં આ મેચ માટે ટિકિટનો પહેલો લોટ જાહેર કરવામાં આવ્યો હતો. જે થોડી મિનિટોમાં જ ખતમ થઈ ગયો હતો. જે બાદ બીસીસીઆઈ ક્રિકેટ ફેન્સ માટે 14 હજાર અન્ય ટિકિટ રિલીઝ કરી હતી. બીસીસીઆઈએ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનારી ભારત અને પાકિસ્તાન મેચ માટે 14,000 ટિકિટ જાહેર કરવાની ઘોષણા કરી હતી. 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યા ટિકિટ બુકિંગ ખુલવાનું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...