Wednesday, January 21, 2026

અમદાવાદમાંથી INDVsPAK મેચની નકલી ટિકિટનું કૌભાંડ ઝડપાયું, ચાર શખ્સોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : આગામી 14મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાનાર છે. આ મેચનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટીકીટો માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટ ઝડપાઈ છે. મેચની 150 જેટલી નકલી ટિકિટ મળી આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ટિકિટ બનાવવાની સાધન સામગ્રી સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 2 હજારની કિંમતની 150 નકલી ટિકિટ કબજે કરી 4 આરોપીને ઝડપ્યા હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમબ્રાન્ચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડી નકલી ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ કબજે કર્યા છે. આરોપીઓએ 1 પેજ પર 3 ટિકિટની કલરપ્રિન્ટ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. તેમજ સોશિયલ મીડિયામાં પર કેટલાક લોકો નકલી ટિકિટો વેચીને લોકોને છેતરવાસો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડને લઇને ચેતવણી આપી હતી. અને સહાયતા માટે સાઈબર હેલ્પલાઈન નંબર 1930 અથવા હેલ્પલાઈન નંબર 100\112 પર કોલ કરવા જણાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ સૌ કોઈ ખરીદવા માગે છે, ત્યારે ઓગસ્ટના અંતમાં આ મેચ માટે ટિકિટનો પહેલો લોટ જાહેર કરવામાં આવ્યો હતો. જે થોડી મિનિટોમાં જ ખતમ થઈ ગયો હતો. જે બાદ બીસીસીઆઈ ક્રિકેટ ફેન્સ માટે 14 હજાર અન્ય ટિકિટ રિલીઝ કરી હતી. બીસીસીઆઈએ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનારી ભારત અને પાકિસ્તાન મેચ માટે 14,000 ટિકિટ જાહેર કરવાની ઘોષણા કરી હતી. 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યા ટિકિટ બુકિંગ ખુલવાનું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...