Thursday, March 12, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી IND vs PAK મેચની નકલી ટીકિટો વેચતા બે કિશોરો ઝડપાયા, 23 ટીકિટો કબજે લેવાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં જ બોડકદેવ વિસ્તારમાંથી નકલી ટીકિટો વેચનારાને ઝડપી લેવામાં આવ્યા હતાં. તે ઉપરાંત ટીકિટોનો સોદો કરવા જતાં બે મિત્રોનું અપહરણ કરીને તેમને માર મારી તેમની પાસેથી 24 હજાર લૂંટી લેવાનો મામલો પણ સામે આવ્યો હતો.ત્યારે ફરી એક વાર શહેરના ખાનપુર વિસ્તારમાંથી નકલી ટીકિટો વેચતા ત્રણ લોકો ઝડપાયા છે. પોલીસે 23 ટિકીટો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓ કિશોર વયના છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાંથી નકલી ટીકિટો ઝડપાયા બાદ ક્રાઈમ બ્રાંચ એલર્ટ થઈ ગઈ હતી.ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે બે છોકરાઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ડુપ્લીકેટ ટિકીટો વેચવા ખાનપુરથી રીવરફ્રન્ટ તરફ જતાં રોડ પર કોઈ ગ્રાહકની રાહ જોઇ રહ્યાં છે. ક્રાઈમ બ્રાંચે બંને છોકરાઓને પકડીને પુછપરછ કરી હતી. જેમાંથી એક છોકરાની તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન તથા 12 નંગ નકલી ટીકિટો મળી આવી હતી.

તે ઉપરાંત બીજા કિશોરના ખિસ્સામાંથી એક મોબાઈલ અને 11 નંગ નકલી ટીકિટો મળી હતી. આ બંને જણાએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે તેમણે વિક્કી ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી એક હજારના ભાવે આ ટીકિટો ખરીદી હતી અને 18 હજાર રૂપિયાની એક ટીકિટના ભાવે તેઓ વેચતા હતાં. પોલીસે તેમની પાસેથી 23 નંગ નકલી ટીકિટો અને બે મોબાઈલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ડુપ્લિકેટ બનાવીને વેચતા 4 યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ચારેય યુવક કલર પ્રિન્ટર મારફત ટિકિટની પ્રિન્ટ કાઢીને વેચવા માટે પ્રયાસ કરતા હતા. આ સમગ્ર રેકેટમાં સંખ્યાબંધ ટિકિટો બજારમાં વેચાઈ ગઈ હોય એવી વિગતો સામે આવી રહી છે. પકડાયેલા આરોપીઓ યુવાનો છે, જે માત્ર 18થી 19 વર્ષના છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોઈએ કઈ રીતે ટિકિટ વેચી હતી એ શોધવાનું પણ શરૂ કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...