અમદાવાદ : શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વિનાનું ભણતર અને તણાવમુક્ત વાતાવરણની રચનાના ઉદ્દેશથી નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પ્રવૃત્તિઓ સાથે શીખવાનું વધુ મનોરંજક બનાવવાનો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ગીતાબેન નાયરના જણાવ્યા મુજબ ‘નો બેગ ડે’ ના નવીનતમ વિચારથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટશે અને વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેના સંવાદમાં વધારો થશે. શિક્ષકો માત્ર ભણાવવા માટે જ હોય તેવી લાગણી પ્રવર્તે છે.

શાળાના કેમ્પસમાં ‘નો બેગ ડે’ ની ભવ્ય ઉજવણીમાં શાળાના બાળકો તેમના ગણવેશમાં આવ્યા હતા, પરંતુ તફાવત સાથે ત્યાં કોઈ ઔપચારિક વર્ગો ન હતા. દરેક 45 મિનિટના તાસનો તદ્દન અલગ રીતે કરવામાં આવ્યો. જેમાં વિધાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ જેમકે..વેસ્ટમાંથી બેસ્ટ, કાર્ટૂન મૂવી જોવું, આર્ટ એન્ડ ક્રાફ્ટનું કાર્ય વગેરે જેવા સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવ્યા હતા.
બાળકોના સર્વાંગી વિકાસ અને વિકાસમાં શાળાકીય શિક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે જાણીતી હકીકત છે કે બાળકોમાં વિના પ્રયાસે જ્ઞાનને ગ્રહણ કરવાની જન્મજાત ક્ષમતા હોય છે.જ્યારે તેમને તણાવમુક્ત અને પોષક શિક્ષણ વાતાવરણ પૂરું પાડવામાં આવે ત્યારે તેમની શીખવાની ક્ષમતા મહત્તમ થાય છે. તેનાથી વિપરિત, તેમને અયોગ્ય દબાણને આધીન થવાથી તેમના ભણતર પ્રત્યેના ઉત્સાહ અને જિજ્ઞાસાને અવરોધે છે.
તમને જણાવી દઈએ કે સરકારના નેશનલ એજયુકેશન પોલિસી 2020 અંતર્ગત આવેલ નવા નિયમ અનુસાર શિક્ષણમાં નવીનતા લાવવા માટે, ‘નો બેગ ડે’ નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે.


