Sunday, April 26, 2026

ગરબા બની રહ્યા છે ઘાતક ! 24 કલાકમાં ગરબા રમતા 7 યુવાનો બન્યા HEART ATTACK નો ભોગ

spot_img
Share

અમદાવાદ : હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ. નવરાત્રિમાં હાર્ટ એટેકની ઘટનાઓ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ સાત યુવાનોનો ભેગ લીધો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.

હાર્ટ એટેકથી 7 યુવાનોના મોત
રાજ્યમાં વધતા જતા હાર્ટ અટેક અને મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. રાજ્યમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ મોતના કિસ્સા સામ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 7 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.

અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટના
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ નામનો 28 વર્ષિય યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.આ યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતા. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો.

વડોદરામાં ગરબા રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
વડોદરામાં પણ ગરબા રમતી વખતે અચાનક 55 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જેમાં શહેરના હરણી વિસ્તારના સંસ્કૃતિ એન્કલેવમાં રહેતાં રહીશ શંકરભાઇ રાણાનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં હાર્ટ એટેકની બે ઘટનાઓ
રાજકોટમાંથી હાર્ટ એટેકથી બે ના મોતના સમાચાર, જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ બજાવતા દરમિયાન એટેક આવતા શખ્સનું મોત, જયારે બીજી ઘટનામાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા છે.

કપડવંજના યુવકનું હાર્ટ એટેકથી મોત
ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કપડવંજમા વીર શાહ નામનો 17 વર્ષીય યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું. જેથી તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

દ્વારકામાં હાર્ટ એટેકથી બેના મોતની ઘટનાઓ
દ્વારકામાં પણ હાર્ટ એટેકથી બેના મોતની થયાની ઘટનાઓ નોંધાઈ છે, આમ નવરાત્રી માહોલ વચ્ચે હાર્ટ એટેકના 7 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ સર્જાયો છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...