Sunday, January 18, 2026

ગરબા બની રહ્યા છે ઘાતક ! 24 કલાકમાં ગરબા રમતા 7 યુવાનો બન્યા HEART ATTACK નો ભોગ

spot_img
Share

અમદાવાદ : હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ. નવરાત્રિમાં હાર્ટ એટેકની ઘટનાઓ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ સાત યુવાનોનો ભેગ લીધો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.

હાર્ટ એટેકથી 7 યુવાનોના મોત
રાજ્યમાં વધતા જતા હાર્ટ અટેક અને મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. રાજ્યમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ મોતના કિસ્સા સામ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 7 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.

અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટના
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ નામનો 28 વર્ષિય યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.આ યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતા. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો.

વડોદરામાં ગરબા રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
વડોદરામાં પણ ગરબા રમતી વખતે અચાનક 55 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જેમાં શહેરના હરણી વિસ્તારના સંસ્કૃતિ એન્કલેવમાં રહેતાં રહીશ શંકરભાઇ રાણાનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં હાર્ટ એટેકની બે ઘટનાઓ
રાજકોટમાંથી હાર્ટ એટેકથી બે ના મોતના સમાચાર, જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ બજાવતા દરમિયાન એટેક આવતા શખ્સનું મોત, જયારે બીજી ઘટનામાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા છે.

કપડવંજના યુવકનું હાર્ટ એટેકથી મોત
ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કપડવંજમા વીર શાહ નામનો 17 વર્ષીય યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું. જેથી તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

દ્વારકામાં હાર્ટ એટેકથી બેના મોતની ઘટનાઓ
દ્વારકામાં પણ હાર્ટ એટેકથી બેના મોતની થયાની ઘટનાઓ નોંધાઈ છે, આમ નવરાત્રી માહોલ વચ્ચે હાર્ટ એટેકના 7 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ સર્જાયો છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...