Thursday, March 12, 2026

અમદાવાદીઓને મળશે મોટી ભેટ, આ વિસ્તારમાં બનશે 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફીકની સમસ્યાને હલ કરવા AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત AMC દ્વારા શહેરના વધુ એક વ્યસ્ત ટ્રાફીક જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરાયો છે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.જે અંતર્ગત વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા AMC તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ 652 મીટર તથા પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ 1.50 લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.

AMC દ્વારા પાંજરાપોળ જંકશન ઉપર આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કામગીરીમાં રસ ધરાવનારા પાસેથી બિડ મંગાવવામાં આવ્યા છે.આ બ્રિજમાં જંકશન ઉપર 40 મીટર લંબાઈના ઓબ્લીગેટરી સ્પાનમાં સ્ટીલ કમ્પોઝીટ ગર્ડર ટાઈપ સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...