Sunday, January 18, 2026

અમદાવાદીઓને મળશે મોટી ભેટ, આ વિસ્તારમાં બનશે 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફીકની સમસ્યાને હલ કરવા AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત AMC દ્વારા શહેરના વધુ એક વ્યસ્ત ટ્રાફીક જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરાયો છે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.જે અંતર્ગત વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા AMC તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ 652 મીટર તથા પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ 1.50 લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.

AMC દ્વારા પાંજરાપોળ જંકશન ઉપર આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કામગીરીમાં રસ ધરાવનારા પાસેથી બિડ મંગાવવામાં આવ્યા છે.આ બ્રિજમાં જંકશન ઉપર 40 મીટર લંબાઈના ઓબ્લીગેટરી સ્પાનમાં સ્ટીલ કમ્પોઝીટ ગર્ડર ટાઈપ સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...