Thursday, March 12, 2026

હાઉસીંગ રિડેવલમેન્ટમાં વિલંબ બદલ બિલ્ડરોને બ્લેકલીસ્ટ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગ..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી કુલ ત્રણ-ચાર હાઉસીંગ સોસાયટીઓ ડિમોલીશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જયારે પાંચ-છ સોસાયટીઓ એમઓયુ સ્ટેજ પર છે જયારે ચારથી પાંચ સોસાયટીઓમાં બિલ્ડર-સોસાયટી-એસોસિયેશન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, જયારે 14 સોસાયટીઓના ટેન્ડર લાઈવ છે જયારે અન્ય 45 થી વધુ સોસાયટીઓના રિડેવલમેન્ટ પ્રોજેકટ ટેન્ડર પાઈપલાઈનમાં છે. આ કહેવા જઈએ તો રિડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેનું મુખ્ય કારણ કેટલાંક બિલ્ડરો હોવાનું મનાય છે.

હાઉસીંગ રહીશોમાં ચર્ચા મુજબ નારણપુરા અને નવા વાડજ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં કોરોના સમય પહેલા ટેન્ડર બહાર પાડેલા છે તથા બિલ્ડરની નિમણુક પણ થઈ ગયેલ છે છતાં આજે ચારથી પાંચ વર્ષ વિત્યા હોવા છતાં આવી સોસાયટીઓમાં રિડેવલમેન્ટમાં પરિણામ શૂન્ય છે.ચાર પાંચ વર્ષ બાદ પણ હુજ એમઓયુ થઈ શક્યા નથી.કયાંક બિલ્ડરો નાટક કરે છે એટલે કે હા…ના…હા…ના, કયાંક બિલ્ડરોના કારણો વ્યાજબી હોવાનું કહી શકાય પણ કારણ કે લાંબા સમય પહેલાના ટેન્ડરો મુજબ બાંધકામ ક્ષેત્રે રો મટીરીયલ ભાવ વધારો, જંત્રી બદલાવ વધારો અને એફએસઆઈ વપરાશ ઇસ્યુ ને કારણે બિલ્ડરો રસ દાખવતા નથી, તો કયાંક હાઉસીંગ સોસાયટીઓમાં પણ રહીશોમાં જુથવાદને કારણે વાટાઘાટો આગળ વધી શકતી નથી.પરંતુ મોટેભાગે એક-બે સોસાયટીઓમાં મુખ્યત્વે બિલ્ડર દ્વારા પહેલા ફર્નીચર કે ગીફટ મનીના પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ હવે આ પ્રકારની ગીફટ મની આપવાનો ઈન્કાર કરતા રહીશો તૈયાર થતા નથી અને સમગ્ર પ્રોજેકટ ખોરંભે મુકાય છે.

આવી પરિસ્થિતિમાં આખરે ટેન્ડરમાં સુચવેલ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતા આખરે હાઉસીંગના નિર્દોષ રહીશોને ભોગવવાનું આવે છે, એક બાજુ જર્જરીત બાંધકામને લઈને જીવને જોખમમાં મુકીને લોકો જીવન પસાર કરી રહ્યા છે ત્યારે બિલ્ડરો અને એસોસિયેશનની સાંઠગાંઠનો ભોગ આખરે રહીશોને બનવાનો વારો આવે છે.આવા સંજોગોમાં હાઉસીંગ બોર્ડ દ્વારા આ પ્રકારના લાંબા સમયના અટકેલ પ્રોજેકટોમાં જુના બધા ટેન્ડરો રદ કરી તે ફરીથી નવા નિયમો મુજબ તાત્કાલિક રિડેન્ડર કરવા જોઈએ, આ ઉપરાંત રહીશોની માગણી છે કે નવી ટેન્ડર પ્રક્રિયામાં બિલ્ડરને એલઓએ અને ટેન્ડર દર્શાવેલ સમયમર્યાદા ચુસ્તપણે પાલન થવું જોઈએ અને જે તે બિલ્ડરને બ્લેકલીસ્ટ કરી ભવિષ્યમાં આવા કોઈ પ્રોજેકટના કામથી દૂર રાખવા જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સોસાયટીઓના રહીશો પણ બિલ્ડરોની આવી ગેરરીતિનો ભોગ ન બને એવી રહીશો માગણી કરી રહ્યા છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટમાં ઝડપ લાવવા ગેરકાયદે વધારાના બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈએ…

હાઉસીંગ બોર્ડની જેજે સોસાયટીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને વિલંબમાં મુકાય છે એવી જે તે સોસાયટીમાં ગેરકાયદે વધારાના બાંધકામ ધરાવતા જુજ સભ્યો વિલન બની સમગ્ર સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા અટકાવે છે અને એવા સભ્યો દ્વારા સમગ્ર સોસાયટીના લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરાય છે જેના કારણે સોસાયટીના બહુમત સભ્યોનું હિત જોખમાય છે અને રિડેવલમેન્ટ પ્રક્રિયા ખોરંભે ચડે છે.

જેથી જે તે સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સોસાયટીમાં 75% સંમતિકરાર અને ત્રીપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીના બાકીના અસંમત સભ્યોના વધારાના ગેરકાયદેસર બાંધકામ કાયેદસરની કાર્યવાહી કરી તુરંત તોડી પાડવાની કાર્યવાહી કરવી જોઈએ તથા 60અ(2) ની કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ. જેથી સોસાયટી રિડેવલમેન્ટ પ્રક્રિયામાં 100% તરફ આગળ વધાય.

ઉપરાંત જે સોસાયટીમાં ૭૫% સંમતિકરાર અને ત્રિપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીમાં કોઈના દસ્તાવેજ કરાવવાના બાકી હોય તો હાઉસીંગ બોર્ડ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં સાથે સાથે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે વ્યવસ્થા ગોઠવાય તો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં ચોક્કસ ઝડપ આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...