Wednesday, January 14, 2026

હાઉસીંગ રિડેવલમેન્ટમાં વિલંબ બદલ બિલ્ડરોને બ્લેકલીસ્ટ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગ..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી કુલ ત્રણ-ચાર હાઉસીંગ સોસાયટીઓ ડિમોલીશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જયારે પાંચ-છ સોસાયટીઓ એમઓયુ સ્ટેજ પર છે જયારે ચારથી પાંચ સોસાયટીઓમાં બિલ્ડર-સોસાયટી-એસોસિયેશન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, જયારે 14 સોસાયટીઓના ટેન્ડર લાઈવ છે જયારે અન્ય 45 થી વધુ સોસાયટીઓના રિડેવલમેન્ટ પ્રોજેકટ ટેન્ડર પાઈપલાઈનમાં છે. આ કહેવા જઈએ તો રિડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેનું મુખ્ય કારણ કેટલાંક બિલ્ડરો હોવાનું મનાય છે.

હાઉસીંગ રહીશોમાં ચર્ચા મુજબ નારણપુરા અને નવા વાડજ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં કોરોના સમય પહેલા ટેન્ડર બહાર પાડેલા છે તથા બિલ્ડરની નિમણુક પણ થઈ ગયેલ છે છતાં આજે ચારથી પાંચ વર્ષ વિત્યા હોવા છતાં આવી સોસાયટીઓમાં રિડેવલમેન્ટમાં પરિણામ શૂન્ય છે.ચાર પાંચ વર્ષ બાદ પણ હુજ એમઓયુ થઈ શક્યા નથી.કયાંક બિલ્ડરો નાટક કરે છે એટલે કે હા…ના…હા…ના, કયાંક બિલ્ડરોના કારણો વ્યાજબી હોવાનું કહી શકાય પણ કારણ કે લાંબા સમય પહેલાના ટેન્ડરો મુજબ બાંધકામ ક્ષેત્રે રો મટીરીયલ ભાવ વધારો, જંત્રી બદલાવ વધારો અને એફએસઆઈ વપરાશ ઇસ્યુ ને કારણે બિલ્ડરો રસ દાખવતા નથી, તો કયાંક હાઉસીંગ સોસાયટીઓમાં પણ રહીશોમાં જુથવાદને કારણે વાટાઘાટો આગળ વધી શકતી નથી.પરંતુ મોટેભાગે એક-બે સોસાયટીઓમાં મુખ્યત્વે બિલ્ડર દ્વારા પહેલા ફર્નીચર કે ગીફટ મનીના પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ હવે આ પ્રકારની ગીફટ મની આપવાનો ઈન્કાર કરતા રહીશો તૈયાર થતા નથી અને સમગ્ર પ્રોજેકટ ખોરંભે મુકાય છે.

આવી પરિસ્થિતિમાં આખરે ટેન્ડરમાં સુચવેલ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થતા આખરે હાઉસીંગના નિર્દોષ રહીશોને ભોગવવાનું આવે છે, એક બાજુ જર્જરીત બાંધકામને લઈને જીવને જોખમમાં મુકીને લોકો જીવન પસાર કરી રહ્યા છે ત્યારે બિલ્ડરો અને એસોસિયેશનની સાંઠગાંઠનો ભોગ આખરે રહીશોને બનવાનો વારો આવે છે.આવા સંજોગોમાં હાઉસીંગ બોર્ડ દ્વારા આ પ્રકારના લાંબા સમયના અટકેલ પ્રોજેકટોમાં જુના બધા ટેન્ડરો રદ કરી તે ફરીથી નવા નિયમો મુજબ તાત્કાલિક રિડેન્ડર કરવા જોઈએ, આ ઉપરાંત રહીશોની માગણી છે કે નવી ટેન્ડર પ્રક્રિયામાં બિલ્ડરને એલઓએ અને ટેન્ડર દર્શાવેલ સમયમર્યાદા ચુસ્તપણે પાલન થવું જોઈએ અને જે તે બિલ્ડરને બ્લેકલીસ્ટ કરી ભવિષ્યમાં આવા કોઈ પ્રોજેકટના કામથી દૂર રાખવા જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સોસાયટીઓના રહીશો પણ બિલ્ડરોની આવી ગેરરીતિનો ભોગ ન બને એવી રહીશો માગણી કરી રહ્યા છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટમાં ઝડપ લાવવા ગેરકાયદે વધારાના બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈએ…

હાઉસીંગ બોર્ડની જેજે સોસાયટીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને વિલંબમાં મુકાય છે એવી જે તે સોસાયટીમાં ગેરકાયદે વધારાના બાંધકામ ધરાવતા જુજ સભ્યો વિલન બની સમગ્ર સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા અટકાવે છે અને એવા સભ્યો દ્વારા સમગ્ર સોસાયટીના લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરાય છે જેના કારણે સોસાયટીના બહુમત સભ્યોનું હિત જોખમાય છે અને રિડેવલમેન્ટ પ્રક્રિયા ખોરંભે ચડે છે.

જેથી જે તે સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સોસાયટીમાં 75% સંમતિકરાર અને ત્રીપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીના બાકીના અસંમત સભ્યોના વધારાના ગેરકાયદેસર બાંધકામ કાયેદસરની કાર્યવાહી કરી તુરંત તોડી પાડવાની કાર્યવાહી કરવી જોઈએ તથા 60અ(2) ની કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ. જેથી સોસાયટી રિડેવલમેન્ટ પ્રક્રિયામાં 100% તરફ આગળ વધાય.

ઉપરાંત જે સોસાયટીમાં ૭૫% સંમતિકરાર અને ત્રિપક્ષીય કરાર થઈ ગયા હોય તો તેવી સોસાયટીમાં કોઈના દસ્તાવેજ કરાવવાના બાકી હોય તો હાઉસીંગ બોર્ડ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં સાથે સાથે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે વ્યવસ્થા ગોઠવાય તો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં ચોક્કસ ઝડપ આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...