Monday, November 10, 2025

PM નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ, ગર્ભ ગૃહમાં માના પાદુકાની કરી પૂજા

spot_img
Share

અંબાજી : PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. PM અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે.PM નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. PM મોદી ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી હતી.PM મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે.આ દરમિયાન તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

PM મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન આજે અંબાજીની મુલાકાતે આવ્યા છે ત્યારે અંબાજી દર્શન કરતા પહેલા તેમને બનાસકાંઠામાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા, રોડ શો બાદ PM મોદી અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. અંબાજીમાં મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ હતું. PM મોદી તેમની મુલાકાત દરમિયાન અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે. PM મોદી ગર્ભ ગૃહમાં પાદુકાની પૂજા કરી હતી.

PM નરેન્દ્ર મોદી બે દિવસના વતનના પ્રવાસમાં અનેક વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે. આ સાથે નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મેળશે. PM મોદીએ તેમના પ્રવાસની શરૂઆતમાં જ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિના દિવસે એટલે 31મી ઓક્ટોબરના રોજ PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...