Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં AMCના બેકાબૂ ડમ્પરે 6 વાહનોને લીધા અડફેટે, એકનું મોત અને 3 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઈવિંગ કરીને અન્યોની જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં AMCના કચરો લઈને જતા ડમ્પરે ફરી એકવાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતા રિપોર્ટ પ્રમાણે જશોદાનગર ચાર રસ્તા પર Amcના કચરો લઈને જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત અને બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે AMCના કચરો લઈને જતા ડમ્પરે આતંક મચાવતા કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં બે કાર અને રિક્ષા સાથે ત્રણ બાઈકોને અડફેટે લીતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત ણ બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.અકસ્માતની ઘટના બાદ ડમ્પરચાલક ટોળામાંથી નાસવા જાય તે પહેલા લોકોએ તેને ઝડપી પાડીને પોલીસને સોંપી દીધો હતો. ઈજાગ્રસ્તોને 108માં હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે જ્યાં એકની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડમ્પરે વાહનોને 100 ફુટ સુધી ઢસડતા વાહનચાલકોએ બુમો પાડીને તેને રોક્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો. બચવા માટે ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકને લોકોએ પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થતા જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાની કચરો ભરવાની ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું હતું જે બાદ ફરી અમદાવાદ AMCની ગાડીએ અકસ્માત સર્જ્યો છે ત્યારે અમદાવાદ AMCના વાહનોની ઝડપ પર લગામ લાગે તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...