Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં AMCના બેકાબૂ ડમ્પરે 6 વાહનોને લીધા અડફેટે, એકનું મોત અને 3 ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઈવિંગ કરીને અન્યોની જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં AMCના કચરો લઈને જતા ડમ્પરે ફરી એકવાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતા રિપોર્ટ પ્રમાણે જશોદાનગર ચાર રસ્તા પર Amcના કચરો લઈને જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત અને બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે AMCના કચરો લઈને જતા ડમ્પરે આતંક મચાવતા કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા છ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં બે કાર અને રિક્ષા સાથે ત્રણ બાઈકોને અડફેટે લીતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત ણ બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમા એક મહિલાનો હાથ કચડાયો છે.અકસ્માતની ઘટના બાદ ડમ્પરચાલક ટોળામાંથી નાસવા જાય તે પહેલા લોકોએ તેને ઝડપી પાડીને પોલીસને સોંપી દીધો હતો. ઈજાગ્રસ્તોને 108માં હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે જ્યાં એકની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડમ્પરે વાહનોને 100 ફુટ સુધી ઢસડતા વાહનચાલકોએ બુમો પાડીને તેને રોક્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક પર પથ્થરમારો કર્યો હતો. બચવા માટે ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકને લોકોએ પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થતા જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાની કચરો ભરવાની ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું હતું જે બાદ ફરી અમદાવાદ AMCની ગાડીએ અકસ્માત સર્જ્યો છે ત્યારે અમદાવાદ AMCના વાહનોની ઝડપ પર લગામ લાગે તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...