Thursday, March 12, 2026

સ્માર્ટ સીટી કે ક્રાઈમ કેપિટલ ! અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે ચકચાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલું રિવરફ્રન્ટ હવે જાણે કે, ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે ચકચાર મચી ગઈ છે. જેમાં એક હત્યામાં તો શહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી હત્યા જાહેરમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને કરવામાં આવી હતી. આના પગલે સમગ્ર શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે.જ્યારે ત્રીજી ઘટનામાં વટવા વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવેલ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રથમ હત્યાની ઘટનામાં જાહેરમાં છરી મારીને હત્યા શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 24થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે. આ દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લોકો નાની-નાની વાતમાં વાત કરવાના બદલે મર્ડર કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજી હત્યામાં આજે વહેલી સવારે રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારના દધીચિ બ્રિજ નીચે લોહી લુહાણ હાલમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા યુવકના છાતીના ભાગે ગોળી વાગેલાનું નિશાન મળી આવ્યું હતું. જેથી ફાયરિંગ કરીને યુવકનું હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ સ્મિત ગોહેલ અને ચાંદલોડિયાનો રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

હત્યાની બંને ઘટનાના પગલે અમદાવાદ પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગેલી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે કે વહેલી સવારે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને હત્યા અંગત અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અન્ય એક હત્યા વટવામાં થઈ હતી. મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મહિલાના પાડોશીએ જ તેની હત્યા કરી હતી. આના પગલે વટવા વિસ્તારને આંચકો લાગ્યો છે. મહિલાની પાડોશી સાથેના ઝગડામાં હત્યા થઈ છે. મુસ્કાન, સાહિલ અને શહઝાદ નામના આરોપીએ આ હત્યા કરી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...