અમદાવાદ : હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ગંદકી કરનારાઓને પકડવા AMC દ્વારા સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. શહેરના તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ તહેનાત રહેશે. પોલીસની જેમ જ આ સ્કવોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરશે. સ્પેશિયલ સ્કવોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હશે. સ્પેશિયલ સ્કવોર્ડ માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC દ્વારા સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. અમદાવાદના તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ તૈનાત કરાશે. તેઓ પોલીસની જેમ સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવાશે. સ્પેશિયલ સ્કવોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હશે. સ્પેશિયલ સ્કવોર્ડ માટે સ્પેશિયલ વાહનની વ્યવસ્થા કરાઇ છે. અગાઉ આજ મુજબ જોઈન્ટ એનફોર્સમેન્ટ ટીમ બનાવાઈ હતી. હવે વાહનો બદલી એ જ કામગીરી કરાશે.
નોંધનીય છે કે, અગાઉ અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી હતી. જેમાં અમદાવાદની સોસાયટીની બહાર કચરો હોય તો 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની વાત હતી. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ હતી. અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.