Wednesday, September 17, 2025

અમદાવાદના આ વિસ્તારમાં ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરાઈ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા 1.25 લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં AMC કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને આવા બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ કરી અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આજે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલુ બાંધકામ સાઈટો ઉપર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ઘાટલોડિયા ઇરીડિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિત્યમ લક્ઝૂરિયા અને એસજી હાઇ-વે પર ગોતા નજીક ધ એમ્પાયર એમ કુલ ત્રણ જેટલી બાંધકામ સાઈટોને ગ્રીનનેટ અને સેફટી નેટ સહિત પર્યાવરણની જાળવણી અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી અને રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા થઇ અને કેશવબાગ ચાર રસ્તા તેમજ ઇસ્કોન ચાર રસ્તાથી એસજી હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર રહેણાંક 61 અને કોમર્શિયલ 366 એમ કુલ 427 મિલ્કતોને ગેરકાયદે પાર્કિંગ અને કોમ્પ્લેક્સ તેમજ રહેણાંક વિસ્તારમાં માર્જિનની જગ્યામાં દબાણ ન થાય તેને ધ્યાનમાં રાખી અને નોટિસ આપવામાં આવી હતી.રોડ પર દબાણ અને માર્જિનની જગ્યામાં દબાણ કરાયું હશે તો એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...