Thursday, February 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા 1.25 લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં AMC કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને આવા બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ કરી અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આજે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલુ બાંધકામ સાઈટો ઉપર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ઘાટલોડિયા ઇરીડિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિત્યમ લક્ઝૂરિયા અને એસજી હાઇ-વે પર ગોતા નજીક ધ એમ્પાયર એમ કુલ ત્રણ જેટલી બાંધકામ સાઈટોને ગ્રીનનેટ અને સેફટી નેટ સહિત પર્યાવરણની જાળવણી અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી અને રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા થઇ અને કેશવબાગ ચાર રસ્તા તેમજ ઇસ્કોન ચાર રસ્તાથી એસજી હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર રહેણાંક 61 અને કોમર્શિયલ 366 એમ કુલ 427 મિલ્કતોને ગેરકાયદે પાર્કિંગ અને કોમ્પ્લેક્સ તેમજ રહેણાંક વિસ્તારમાં માર્જિનની જગ્યામાં દબાણ ન થાય તેને ધ્યાનમાં રાખી અને નોટિસ આપવામાં આવી હતી.રોડ પર દબાણ અને માર્જિનની જગ્યામાં દબાણ કરાયું હશે તો એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...