Wednesday, March 4, 2026

અમદાવાદ શહેરને મળશે વધુ એક બ્રિજ, સાબરમતી નદી પર પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને વધુ એક બ્રિજ મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2 યોજના હેઠળ નદીના પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠના કેમ્પ સદર બજાર વચ્ચે નવી ટેક્નોલોજીથી ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનાવાશે. અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે. રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાં સાબરમતી નદી પર અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનશે. જે પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજારના બંન્ને રસ્તાઓને જોડશે. જેથી ચાંદખેડા, સાબરમતી, મોટેરા, હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાશે.અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે.રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.આ બ્રિજ એક નહીં, બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે.

‘રબર બેરેજ કમ બ્રિજ’ માટે અનોખી ડિઝાઇન તૈયાર કરાશે, જે અમદાવાદ માટે એક નવી ઓળખ ઉભી કરશે. મહત્વનું છે, ગુજરાતમાં નદીના પાણીને રોકી શકે તેવો રબર સંચાલિત કોઇ પણ બ્રિજ હજી સુધી બન્યો નથી. આ બ્રિજની વિશેષતા છે, કે તે નદીમાં પાણી રોકી રાખશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ નહીં બને.

તમને જણાવી દઈએ કે પાવર હાઉસથી સદર બજારને જોડતો આ રબર બેરેજ કમ બ્રિજ બન્યા બાદ પશ્ચિમ અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે શાહીબાગ ડફનાળા સુધી જવું નહીં પડે. આ રબર બેરેજ કમ બ્રિજ બનવાના લીધે અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે પૂર્વ વિસ્તારના ગીચ રસ્તા પરથી પસાર નહીં થવું પડે. આ સિવાય શહેરમાં પાણીની તંગી પણ નહીં પડે કેમ કે, અહીં રો વોટરનો સંગ્રહ કરવામાં આવશે. આમ અમદાવાદ રિવરફ્રન્ટની સાથે-સાથે જ તેનો વિકાસ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં તેનું આયોજન પાર પડે તેમ માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...