Saturday, January 24, 2026

અમદાવાદ શહેરને મળશે વધુ એક બ્રિજ, સાબરમતી નદી પર પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને વધુ એક બ્રિજ મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2 યોજના હેઠળ નદીના પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠના કેમ્પ સદર બજાર વચ્ચે નવી ટેક્નોલોજીથી ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનાવાશે. અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે. રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાં સાબરમતી નદી પર અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનશે. જે પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજારના બંન્ને રસ્તાઓને જોડશે. જેથી ચાંદખેડા, સાબરમતી, મોટેરા, હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાશે.અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે.રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.આ બ્રિજ એક નહીં, બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે.

‘રબર બેરેજ કમ બ્રિજ’ માટે અનોખી ડિઝાઇન તૈયાર કરાશે, જે અમદાવાદ માટે એક નવી ઓળખ ઉભી કરશે. મહત્વનું છે, ગુજરાતમાં નદીના પાણીને રોકી શકે તેવો રબર સંચાલિત કોઇ પણ બ્રિજ હજી સુધી બન્યો નથી. આ બ્રિજની વિશેષતા છે, કે તે નદીમાં પાણી રોકી રાખશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ નહીં બને.

તમને જણાવી દઈએ કે પાવર હાઉસથી સદર બજારને જોડતો આ રબર બેરેજ કમ બ્રિજ બન્યા બાદ પશ્ચિમ અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે શાહીબાગ ડફનાળા સુધી જવું નહીં પડે. આ રબર બેરેજ કમ બ્રિજ બનવાના લીધે અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે પૂર્વ વિસ્તારના ગીચ રસ્તા પરથી પસાર નહીં થવું પડે. આ સિવાય શહેરમાં પાણીની તંગી પણ નહીં પડે કેમ કે, અહીં રો વોટરનો સંગ્રહ કરવામાં આવશે. આમ અમદાવાદ રિવરફ્રન્ટની સાથે-સાથે જ તેનો વિકાસ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં તેનું આયોજન પાર પડે તેમ માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...