Wednesday, March 11, 2026

અમદાવાદના આ વિસ્તારમાં 2 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, પિતાની બહારદૂરીથી બચ્યો જીવ, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના જુહાપુરા ફતેવાડી કેનાલ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જુહાપુરાના ફતેવાડીમાં 2 વર્ષનું બાળક નિશ્ચિંત થઇને ઘરની બહાર રમી હતુ ત્યારે શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોતના મુખમાંથી બચવા બાળક તરફડીયા મારતું હોય છે. બાળકને શ્વાનના મુખમાંથી કેવી રીતે છોડાવ્યો તે પિતાની હિંમતના દ્રશ્ય પણ CCTVમાં જોવા મળ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારની છે. જ્યાં ફૂઝલ પાર્ક પાસેની એક સોસાયટીમાં 2 વર્ષનું બાળક હજુ ઘરની બહાર રમવા નીકળ્યું જ હતું કે રખડતો શ્વાન એકાએક સોસાયટીમાં દોડી આવ્યો અને બાળકને પકડી લીધો હતો. જોકે, શ્વાનની પાછળ જ એ બાળકના પિતા ઈર્શાદભાઈ પણ દોડી આવ્યા હતા. પહેલા એ રખડતા શ્વાનને લાતો મારી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નહીં છૂટતા શ્વાનને પકડીને બાળકથી દૂર કર્યો હતો.

બાળકના પિતાએ એકપણ સેકન્ડની ચિંતા કર્યા વિના બહાદુરીપૂર્વક પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને બચાવ્યુ હતું . જો બાળકના પિતા સમયસર ન પહોંચ્યો હોત તો એક પરિવાર પર કદાચ નવા વર્ષે જ આભ ફાટી પડતું.શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

અમદાવાદમાં રખડતા શ્વાન સીધા સોસાયટીમાં ઘૂસી ઘરની બહાર રમતા બાળકો ઉપર હુમલા કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દર વર્ષે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર તરફથી દેખાતી નથી. રખડતા શ્વાનની રોજની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને મળે છે પરંતુ દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...