Tuesday, January 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં 2 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, પિતાની બહારદૂરીથી બચ્યો જીવ, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના જુહાપુરા ફતેવાડી કેનાલ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જુહાપુરાના ફતેવાડીમાં 2 વર્ષનું બાળક નિશ્ચિંત થઇને ઘરની બહાર રમી હતુ ત્યારે શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોતના મુખમાંથી બચવા બાળક તરફડીયા મારતું હોય છે. બાળકને શ્વાનના મુખમાંથી કેવી રીતે છોડાવ્યો તે પિતાની હિંમતના દ્રશ્ય પણ CCTVમાં જોવા મળ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારની છે. જ્યાં ફૂઝલ પાર્ક પાસેની એક સોસાયટીમાં 2 વર્ષનું બાળક હજુ ઘરની બહાર રમવા નીકળ્યું જ હતું કે રખડતો શ્વાન એકાએક સોસાયટીમાં દોડી આવ્યો અને બાળકને પકડી લીધો હતો. જોકે, શ્વાનની પાછળ જ એ બાળકના પિતા ઈર્શાદભાઈ પણ દોડી આવ્યા હતા. પહેલા એ રખડતા શ્વાનને લાતો મારી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નહીં છૂટતા શ્વાનને પકડીને બાળકથી દૂર કર્યો હતો.

બાળકના પિતાએ એકપણ સેકન્ડની ચિંતા કર્યા વિના બહાદુરીપૂર્વક પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને બચાવ્યુ હતું . જો બાળકના પિતા સમયસર ન પહોંચ્યો હોત તો એક પરિવાર પર કદાચ નવા વર્ષે જ આભ ફાટી પડતું.શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

અમદાવાદમાં રખડતા શ્વાન સીધા સોસાયટીમાં ઘૂસી ઘરની બહાર રમતા બાળકો ઉપર હુમલા કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દર વર્ષે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર તરફથી દેખાતી નથી. રખડતા શ્વાનની રોજની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને મળે છે પરંતુ દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....