Wednesday, March 11, 2026

જો ઇન્ડિયાની ટીમ World Cup જીતશે તો દરેક પ્લેયરને એક-એક પ્લોટ આપશે આ ગુજરાતી

spot_img
Share

અમદાવાદ : આવતીકાલની World Cupની ફાઈનલની મેચ માટે દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. હાલ ચાલી રહેલ World Cupમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમી ફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હંફાવી છે. ત્યારે આવતીકાલે રવિવારના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ફાઇનલમાં ટકરાવાની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. ફાઇનલમાં ભારતીય ટીમ વિજેતા બનશે જ તેવા આત્મવિશ્વાસ સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમના 15 પ્લેયર અને કોચ સહિત 16 સભ્યોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે.

પ્રાપ્ત મિડિયા રિપોર્ટ મુજબ રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વે પ્રમુખ અને પુર્વે સરપંચ ગઢકા ગ્રામ પંચાયત અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા બિઝનેસમેન અને જિલ્લા ભાજપ અગ્રણી કેયુર ઢોલરીયા દ્વારા 16 લોકોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે. તમામ 16 લોકોને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથેના શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે.

કેયુર ઢોલરીયાએ જણાવ્યું કે, હું નાનપણથી જ ક્રિકેટ મેચ રમવા અને મેચ જોવાનો ખૂબ જ શોખ ધરાવું છું અને ક્રિકેટની રમત મને અતિશય પ્રિય છે. આ કારણથી આદરણીય વડાપ્રધાન વિશ્વ ક્રિકેટ કપનો ફાઇનલ મેચ જોવા પધારવાના હોય ત્યારે ફાઇનલમાં ભારતીય ટીમની જીત માટે મારા સહિત દરેક ભારતીયનો આત્મવિશ્વાસ બુલંદી પર છે. ત્યારે ફાઇનલમાં વિશ્વ વિજેતા બનનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અને કોચ સહિત 16 સભ્યોને રાજકોટના હાર્દ સમા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં કાથરોટા નજીક શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક એક પ્લોટ આપીશું.

ક્રિકેટ રસિકો આ યાદગાર ક્ષણને વધાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રમત ગમત થકી વિશ્વ અને સમાજની ઓળખ થતી આવી છે. રમત થકી ભિન્ન ભિન્ન લોકો એક બીજા સાથે ખેલદિલીની ભાવનાથી જોડાતા આવ્યા છે. ત્યારે વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવથી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા આતુર છે. વિશ્વ કપના માધ્યમથી દેશવાસીઓમાં એકતા રાષ્ટ્ર પ્રેમ અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બની છે ત્યારે એક ગુજરાતી દ્વારા ભારતીય પ્લેયર્સને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...